ભારતીય ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થવું જેટલું મુશ્કેલ માનવામાં આવે છે તેટલું જ મુશ્કેલ ટીમ ઈન્ડિયામાં પોતાની જાતને જાળવી રાખવાનું છે.
32 વર્ષની ઉંમરમાં કરિયર પર પૂર્ણવિરામ?
ટીમ ઇન્ડિયામાં ફરી સિલેક્શન અશક્ય?
IPLમાં પણ કોઇ નહી ખરીદે તેવી શક્યતા
ટીમની બહાર એવા ખેલાડીઓ હોય છે કે જે શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં હોય છે. જો કોઇ ટીમમાંથી નબળું પ્રદર્શન કરે તો તરત જ તે લોકોનો ચાન્સ લાગી જતો હોય છે. ટીમ ઇન્ડિયાના ખેલાડી મનીષ પાંડે પણ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. હવે ટીમ ઇન્ડિયાના દરવાજા તેના માટે બંધ થઇ ગયા છે?
આ ખેલાડીનું પતી ગયું કરિયર?
મનીષ પાંડેએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 39 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 44.31ની એવરેજ અને 126.15ની સ્ટ્રાઈક રેટથી 709 રન બનાવ્યા છે. મનીષ પાંડે ક્યારેય સાતત્યપૂર્ણ નથી રહ્યો અને આ જ કારણ છે કે તે ટીમ ઈન્ડિયામાં આવતો-જતો રહ્યો. હવે એવું લાગતું નથી કે તે ક્યારેય પરત ફરી શકશે. IPL 2021માં પણ મનીષ પાંડે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ માટે નબળી કડી સાબિત થયો છે.
ટીમમાં નહી કરી શકે વાપસી!
મનીષ પાંડેની ફ્લોપ બેટિંગને કારણે સમગ્ર મિડલ ઓર્ડર બરબાદ થઈ જાય છે, જેના કારણે ટીમને ભારે નુકસાન સહન કરવું પડે છે. આ ખેલાડીને એક સમયે ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય માનવામાં આવતું હતું, પરંતુ તેણે ખાસ કંઇ ઉકાળ્યું નહી. મનીષ પાંડેએ ટીમ ઈન્ડિયા માટે શાનદાર ડેબ્યૂ કર્યું હતું. તેણે વર્ષ 2015માં ઝિમ્બાબ્વે સામે 86 બોલમાં 71 રન બનાવ્યા હતા. આ પછી, બીજા જ વર્ષે તેણે સિડનીમાં 81 બોલમાં 104 રન બનાવ્યા અને ટીમની જીત પાક્કી કરી. પરંતુ તે પછી તે ટીમ ઈન્ડિયાની અંદર અને બહાર જતો રહ્યો. ઇન્જરીએ તેની પાસેથી ઘણી મોટી તકો પણ છીનવી લીધી. તે શાનદાર શરૂઆતને ગ્રેટ કરિયરમાં બદલી શક્યો નહી.
કોઇ IPL ટીમ નહી ખરીદે
મનીષ પાંડે રન માટે તલપાપડ છે. જો SRH તેને રિટેન નહીં કરે, તો તે આવતા વર્ષે મેગા ઓક્શનમાં દેખાઈ શકે છે. મનીષ પાંડેને હરાજીમાં ભાગ્યે જ કોઈ ટીમ ખરીદી શકે છે, કારણ કે તેણે તેના નામ પ્રમાણે પ્રદર્શન કર્યું નથી. તેમના પ્રદર્શનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. SRH તરફથી રમતા મનીષ પાંડે ખાસ સારું પ્રદર્શન કરી શક્યો નથી. તેણે એક પણ મેચ વિનિંગ ઇનિંગ્સ રમી નથી. આ ડેશિંગ બેટ્સમેન પોતાની લયમાં બિલકુલ જોવા મળ્યો નથી. છેલ્લી કેટલીક સીઝનમાં તે રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.