ટીમ ઇન્ડિયાએ એશિયા કપમાં પાકિસ્તાન સાથે રમાયેલી મેચમાં 8 વિકેટથી જીત મેળવી. ટીમ ઇન્ડિયાની વિરુદ્ઘ આ મેચમાં પાકિસ્તાનનું ફૉર્મ ખરાબ રહ્યુ. આ હાર બાદ પાકિસ્તાનમાં લોકોએ સોશ્યલ મીડિયા પર પોતાની ટીમની વિરુદ્ઘ ગુસ્સો દેખાડ્યો. આ વચ્ચે હારને કારણે કેટલાક પાકિસ્તાની સમર્થન લોકોએ ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ પર નિશાન સાધ્યું હતુ.
આજ વચ્ચે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર તનવીર અહમદે ભારત-પાક મેચની પહેલ એક ટીવી શૉમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પર ટિપ્પણી કરી. તનવીરે કહ્યુ કે ''વિરાટ કોહલીને પાકિસ્તાનની ટીમથી ડર લાગે છે જેના કારણે તેને મેચ રમવાનો ઇન્કાર કરી દીધો.'' તનવીર બોલ્યો કે ''કોહલી ડરના કારણે પાકિસ્તાનની વિરુદ્ઘ મેચ નથી રમી રહ્યો.''
તનવીરે આગળ કહ્યુ કે ''ઇજા પહોંચ્યા પછી પણ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ વિરુદ્ઘ ટેસ્ટ સીરિઝ રમી તે ઇચ્છે તો પાકિસ્તાનની વિરુદ્ઘ પણ રમી શકતો હતો પરંતુ કોહલી ડરી ગયો અને આજ કારણે એશિયા કપમાંથી આરામ કરવાનો નિર્ણય લીધો.''
તનવીરની આ વાત પર ટીમ ઇન્ડિયાના ક્રિકેટર ગૌતમ ગંભીર કહ્યુ કે ''તનવીર ભૂલી ગયો છે કે તેના અને કોહલીમાં ઘણો ફરક છે તનવીર એટલી મેચ પણ નહીં રમ્યો હોય જેટલી વિરાટ કોહલીની સેન્ચુરી છે''
તમને જણાવી દઇએ કે વિરાટ કોહલીએ 58 ઇન્ટરનેશનલ સેન્ચુરી કરી છે. જ્યારે તનવીરે કુલ 8 ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં 2 વનડે 5 ટેસ્ટ અને 1 T-20 શામેલ છે. હાલમાં વિરાટ કોહલી એશિયા કપ દરમિયાન ટીમ ઇન્ડિયામાંથી નથી રમી રહ્યો બિઝી શેડ્યૂલના કારણે તેને આરામ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે એશિયા કપમાં પાકિસ્તાનના વિરુદ્ઘ વિરાટનો રેકોર્ડ શાનદાર છે. વિરાટે સૌથી વધારે રનની ઇનિંગ પાકિસ્તાન વિરુદ્ઘ એશિયા કપમાં જ રમી છે તેણે વર્ષ 2012માં ઢાકામાં રમાયેલા એશિયા કપના મેચમાં 148 બૉલમાં 183 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં પાકિસ્તાને 329 રન કર્યા જ્યારે ટીમ ઇન્ડિયા 330 રન કરીને મેચ જીતી લીધી હતી.