ઘણી વખત તક મળ્યાં બાદ પણ આ ખેલાડી પોતાની પહેલાની ભૂલોથી બોધપાઠ લેતો નથી. પહેલા પસંદગીકારોએ આ ખેલાડીને ભારતીય ક્રિકેટ ટીમમાંથી કંગાળ પ્રદર્શનને કારણે બહાર કરી દેવામાં આવ્યો હતો અને હવે આ ખેલાડીની IPLની કારકિર્દી પણ લગભગ ખત્મ થઇ છે.
ભારતીય ટીમનો આ ખેલાડી દરેક વખતે ફ્લોપ સાબિત થાય છે
ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે
હવે તેની આઈપીએલમાંથી પણ હંમેશા માટે છુટ્ટી થઇ શકે
કંગાળ ફોર્મમાં રમી રહ્યો છે ખેલાડી
ભારતીય ટીમનો ખેલાડી મનીષ પાંડે છેલ્લાં ઘણા સમયથી કંગાળ ફોર્મમાં રમી રહ્યો છે. મનીષ પાંડેને અનેક તક આપવામાં આવી છે, પરંતુ તે દરેક વખતે ફ્લોપ સાબિત થાય છે. પસંદગીકારો પહેલા જ મનીષ પાંડેનુ ભારતીય ક્રિકેટ ટીમમાંથી પત્તુ કાપી ચૂક્યા છે અને હવે તેની આઈપીએલમાંથી પણ હંમેશા માટે છુટ્ટી થઇ શકે છે.
પ્લેઈંગ ઈલેવનમાંથી પણ ડ્રોપ કરી દેવામાં આવ્યો
IPL 2022 માં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમના મધ્ય ક્રમના બેટર મનીષ પાંડેનુ ખૂબ કંગાળ પ્રદર્શન રહ્યું છે. મનીષ પાંડેએ IPL 2022ની 6 મેચમાં અંદાજે 88 રન બનાવ્યાં છે. તેના આ ફ્લોપ પ્રદર્શનને જોઇને લખનઉ સુપર જાયન્ટ્સે તેને પ્લેઈંગ ઈલેવનમાંથી ડ્રોપ કરી દીધો છે. એવામાં મનીષ પાંડેને આગામી વર્ષ 2023ની આઈપીએલ હરાજીમાં કોઈ પણ ટીમ લેવા માગતી નથી. આની પહેલા મનીષ પાંડે વર્ષ 2021માં સનરાઈઝર્સ હૈદ્રાબાદ માટે રમતો હતો. પરંતુ કંગાળ પ્રદર્શનને કારણે આ ટીમે તેમને બહારનો માર્ગ બતાવી દીધો હતો.
લખનઉ સુપર જાયન્ટ્સથી મોટી ભૂલ થઇ
મનીષ પાંડેને IPL 2022 માટે લખનઉ સુપર જાયન્ટ્સે 4.6 કરોડ રૂપિયામાં ખરીદીને મોટી ભૂલ કરી છે. મનીષ પાંડેનો પોતાની ટીમમાં સમાવેશ કરી લખનઉ સુપરજાયન્ટ્સ માટે મોટુ રિસ્ક સાબિત થયુ છે. મનીષ પાંડેની કિંમત પર લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ વધુ સારા ખેલાડીઓને ખરીદી શકતી હતી. પરંતુ તેનાથી આ મોટી ભૂલ થઇ.