ટીમ ઇન્ડિયાએ ગત T-20 સીરિઝ 2017માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ઘ હારી હતી. પાકિસ્તાનના અજય રથ તાજેતરમાં જ સાઉથ આફ્રિકાએ રોક્યો જ્યારે ટીમ ઇન્ડિયાના 10 સીરિઝ અજય રહેવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડે તોડી દીધો. ટીમ ઇન્ડિયાની જીતની શરૂઆત 2017માં શ્રીલંકા વિરુદ્ઘ થઇ હતી જે અત્યાર સુધી ચાલતી રહી હતી. આ દરમિયાન ટીમ ઇન્ડિયાની 2 વખત ઓસ્ટ્રેલિયાની વિરુદ્ઘ સીરિઝ ડ્રો પણ રહી.
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયા પહેલી વખત કોઇ સીરિઝ હારી છે. રોહિતની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી 3 વન ડે અને પાંચ T-20 સીરિઝ રમી છે જેમાંથી આ પહેલી હાર છે.
હેમિલ્ટનમાં T-20 જીતતા જ રોહિતે નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો હોત. આ હાર પછી હવે રોહિત શર્માના 14 ઇન્ટરનેશનલ T-20મેચમાં 12 જીત છે. ત્યારે વિરાટ કોહલીની જીત રોહિતથી ઓછી છે. વિરાટની કેપ્ટન્સનીમાં 20 મેચમાંથી 12 મેચ જ ટીમ ઇન્ડિયા જીતી છે.
રોહિતને ટીમ ઇન્ડિયાનો બીજો સૌથી સફળ T-20 કેપ્ટન બનવા માટે પોતાની કેપ્ટન્સીમાં એક જીતની જરૂર છે. ત્યારે ટીમ ઇન્ડિયાના સૌથી સફળ T-20 કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે જેણે 72 ઇન્ટરનેશનલ T-20 મેચમાં ટીમ ઇન્ડિયાને 41 વખત જીત અપાવી છે.
તમને જણાવી દઇએ કે ન્યૂઝીલેન્ડમાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ઘ અંતિમ અને નિર્ણાયક T-20 મેચમાં 4 રનથી ટીમ ઇન્ડિયા હારી છે. 3 મેચની T-20 સીરિઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો. સીરિઝની નિર્ણાયક T-20 હાઇવૉલ્ટેજ મેચમાં ટીમ ઇન્ડિયાની સામે 213 રનનો ટાર્ગેટ હતો જેને ટીમ ઇન્ડિયાએ ચાર રનથી ગુમાવી દીધો.