મહેન્દ્ર સિંહ ધોની વિશે ઘણા સમયથી ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની અટકળો દેશમાં કરવામાં આવે છે. જુલાઈ 2019થી ધોની એક પણ ઇન્ટરનેશનલ મેચ રમ્યા નથી ત્યારે ભારતીય ટીમનાં હેડ કોચ રવિ શાસ્ત્રીએ ખુબ મોટું નિવેદન આપ્યું છે. તેમની વાત માનીએ તો ધોની વનડેમાંથી સંન્યાસ લઇ શકે છે પરંતુ T 20માં રમવાનું ચાલુ રાખી શકે છે. ઓક્ટોબર મહિનામાં ઓસ્ટ્રેલીયામાં T 20 વર્લ્ડ કપ રમાવાની છે જો ધોની તે સમયે ટીમમાં સામેલ થાય તો તેમનો અનુભવ ટીમ માટે ઉપયોગી થઇ શકે છે.
IPLમાં ધોનીનું શાનદાર પ્રદર્શન હોય છે
રવિ શાસ્ત્રીનાં નિવેદન મુજબ ધોનીને જરુર લાગશે તો તરત સંન્યાસ લઇ લેશે
ઘણા મહિનાઓથી ધોની ક્રિકેટથી છે દૂર
ટેસ્ટ ક્રિકેટથી પહેલાં જ લઇ લીધું છે સંન્યાસ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનાં સંન્યાસ વિશે ઘણીવાર અટકળો લગાવવામાં આવી છે પરંતુ હવે ટીમ ઈન્ડિયાનાં હેડ કોચ રવિ શાસ્ત્રીએ આ મુદ્દે ખુલાસો કર્યો છે. રવિ શાસ્ત્રીએ સંકેત આપ્યા કે મહેન્દ્ર સિંહ ખુબ જલ્દી પોતાના સંન્યાસની જાહેરાત કરી શકે છે. જોક ધોની T 20માં હજુ આગળ રમવાનું યથાવત રાખી શકે છે. નોંધનીય છે કે ધોની પહેલાં જ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી ચુક્યા છે. જો આ વાત માનવામાં આવે તો આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર T 20 વર્લ્ડ કપમાં ધોની રમી શકે છે.
આ ઉંમરે તેઓ ટી 20 ક્રિકેટ રમવાનું પસંદ કરશે : શાસ્ત્રી
એક કાર્યક્રમમાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે ધોની ખુબ લાંબા સમયથી ક્રિકેટ રમતા આવ્યા છે પહેલાં તેમણે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો અને હવે તેઓ વન ડે ક્રિકેટ પણ છોડી શકે છે. જે બાદ આ ઉંમરે તેઓ ટી 20 ક્રિકેટ રમવાનું પસંદ કરશે જે માટે તેમણે ફરીથી રમવાનું શરુ કરવું પડશે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોનીનું ટી 20 કરિયર હજુ જીવિત છે તેઓ આઇપીએલમાં પણ રમશે. તેમણે દાવો કરતા કહ્યું કે ધોની ક્યારે પોતાની જાતને ટીમ પર થોપતા નથી. જો ધોનીને લાગશે કે હવે તેઓ રમી શકે તેમ નથી તો ટેસ્ટ ક્રિકેટની જેમ જ તેઓ વન ડે માંથી સંન્યાસ લઇ લેશે. પરંતુ તેઓ IPLમાં સારું રમે છે જેથી રમવાનું ચાલુ રાખી શકે છે.
ન્યુઝીલેન્ડ પ્રવાસમાં ટીમમાં ભાગ લેશે ધોની ?
રવિ શાસ્ત્રીનાં સંકેતોથી એક વાત સ્પષ્ટ થાય છે કે મહેન્દ્ર સિંહ ધોની આ વર્ષે ઓસ્ટ્રેલીયામાં થનાર ટી 20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ તરફથી ભાગ લઇ શકે છે. ધોનીએ જુલાઈ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી જ નથી. જોકે ધોનીએ અત્યાર સુધી સંન્યાસને લઈને સીધી રીતે કોઈ જ જાહેરાત કરી નથી. એવામાં જો ધોની ટીમમાંથી સંન્યાસ ન લે તો તેમનો અનુભવ ટીમને ઉપયોગી થઇ શકે છે. IPLમાં રમવું પણ વર્લ્ડ કપની તૈયારીનાં રૂપમાં જોવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહે છે કે ધોની ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ભારતની ટીમમાં સામેલ થઇ શકે છે કે નહિ.