બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / હાર્દિક પંડ્યા શ્રીલંકા સામે વનડે સિરીઝ નહીં રમે? રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

ક્રિકેટ / હાર્દિક પંડ્યા શ્રીલંકા સામે વનડે સિરીઝ નહીં રમે? રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Last Updated: 04:11 PM, 16 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND Vs SL Hardik Pandya: હાર્દિક પંડ્યાને લઈને સામે આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તે શ્રીલંકાના સામે વનડે સીરિઝમાં નહીં રમી શકે. હાર્દિકે BCCIને તેની જાણકારી આપી છે.

હાર્દિક પંડ્યાએ 2024ના ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટી20 વિશ્વ કપના બાદ ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે પ્રવાસ કર્યો હતો. તે સમય પર ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડીને આરામ આપવામાં આવ્યો હતો. જેમાં હાર્દિક પંડ્યા પણ શામેલ હતા.

Untitled design (3)

શ્રીલંકાનો પ્રવાસ

હવે મેન ઈન બ્લૂ શ્રીલંકાનો પ્રવાસ કરશે. જેમાં સીનિયર ખેલાડી પાછા ફરે તેવી આશા છે. પરંતુ સામે આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યા આ વખતની વનડે સીરિઝ નહીં રમે.

PROMOTIONAL 13

હાર્દિક પંડ્યાએ BCCI સાથે કરી વાતચીત

એક રિપોર્ટ અનુસાર હાર્દિક પંડ્યાએ BCCIને આ વાતની જાણ કરી દીધી છે કે તે પર્સનલ કારણોથી શ્રીલંકાના સામે વનડે સીરિઝ નહીં રમે. રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે હાર્દિક ફિટનેસના કારણે પણ વનડે સીરિઝ મિસ કરી શકે છે. રિપોર્ટમાં ફક્ત વનડે સીરિઝને લઈને વાત કરવામાં આવી છે. શ્રીલંકા પ્રવાસ પર વનડે અને ટી20 સીરિઝ રમાશે.

Untitled design (4)

નિર્ણય લેવામાં શામેલ થનાર એક સોર્સના હવાલેથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, "આ એક નાજુક મામલો છે. તર્કના બન્ને પક્ષોમાં દલીલ છે અને આ રીતે બધા લોકો એક પેજ પર નથી. હાર્દિકની ફિટનેસ એક ઈશ્યું છે પરંતુ તેમણે ભારતના આઈસીસી સંકટને તોડવામાં મહત્વની ભુમિકા નિભાવી છે." જોકે અત્યાર સુધી આ વાતને લઈને કોઈ પણ પ્રકારની ઓફિશ્યલ જાણકારી નથી આવી.

ક્યારે થશે શ્રીલંકા પ્રવાસ?

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા 27 જુલાઈએ શ્રીલંકા પ્રવાસની શરૂઆત કરશે. પ્રવાસની શરૂઆત ટી20 સીરિઝની સાથે થશે. ત્રણ મેચોની ટી20 સીરિઝની મેચ 27 જુલાઈ, 28 જુલાઈ અને 30 જુલાઈએ રમાશે. પછી 2 ઓગસ્ટથી વનડે સીરિઝની શરૂઆત થશે.

hardik-pandya

વધુ વાંચો: જાહ્નવી કપૂરનો વિચિત્ર આઉટફીટ જોઈ ફેન્સને યાદ આવી ઉર્ફી જાવેદ, જુઓ બ્લેઝર ડ્રેસના ફોટો

પછી વનડે સીરિઝની છેલ્લી બે મેચ 4 ઓગસ્ટ અને 7 ઓગસ્ટે રમાશે. ટી20 સીરિઝના ત્રણેય મેચ પલ્લેકેલેના પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ત્યાં જ વનડે સીરિઝની ત્રણેય મેચ કોલંબો અને આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hardik Pandya IND Vs SL ODI Series
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ