ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે રમાનારી 3-3 ટી-20 મેચોની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે 3-3 ટી-20
ભારતીય ટીમની કરવામાં આવી જાહેરાત
ટી-20 વર્લ્ડ કપની ટીમની પણ જાહેરાત
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે રમાનારી 3-3 ટી-20 મેચોની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતના તમામ મોટા ખેલાડીઓ આ શ્રેણીમાં મેદાનમાં ઉતરશે. સોમવારે ટીમ ઇન્ડિયાની પસંદગી કરવામાં આવી હતી જેમાં રોહિત શર્માની આગેવાનીમાં 16-16 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત ટી-20 વર્લ્ડ કપની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.
હાર્દિક પંડ્યાને એક શ્રેણીમાં સ્થાન મળ્યું
હાર્દિક પંડ્યાને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ટીમમાં સ્થાન મળ્યું હતું, પરંતુ તે સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં જોવા નહીં મળે. અર્શદીપ સિંહને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. જોકે તે સાઉથ આફ્રિકા સામે રમશે. ભુવનેશ્વર કુમારની પસંદગી ઓસ્ટ્રેલિયા સામે ટીમમાં કરવામાં આવી છે પરંતુ તે દક્ષિણ આફ્રિકા સામે આરામ કરશે. બીસીસીઆઈએ એ પણ માહિતી આપી હતી કે આ ત્રણેય ઘરેલું શ્રેણી દરમિયાન રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીમાં કન્ડિશનિંગ સંબંધિત કામ માટે તેમની હાજરીનો અહેસાસ કરાવશે.
મુખ્ય ખેલાડીઓને આરામ ન મળ્યો
એવા અહેવાલો આવ્યા હતા કે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ઘણા મુખ્ય ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે પરંતુ તેવું થયું નથી. તમામ મુખ્ય ખેલાડીઓ આ બંને સિરીઝમાં રમતા જોવા મળશે. ખેલાડીઓ આ ફોર્મેટમાં પોતાની લય મેળવીને ફોર્મમાં પરત ફરી શકે તે માટે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
20 સપ્ટેમ્બરથી શ્રેણી શરુ થશે
ભારતને ઓસ્ટ્રેલિયા સામે તારીખ 20મી સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલી ત્રણ ટી-20ની શ્રેણી રમવાની છે. પહેલી મેચ મોહાલીમાં રમાશે અને બીજી મેચ 23 સપ્ટેમ્બરે નાગપુરમાં રમાશે. ત્રીજી મેચ 25 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં રમાશે. ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ત્રણ ટી-20ની શ્રેણી પણ રમશે, જે 28 સપ્ટેમ્બરથી શરુ થશે. પહેલી મેચ તિરુવનંતપુરમમાં રમાશે અને બીજી મેચ 2 ઓક્ટોબરે ગુવાહાટીમાં રમાશે. ત્રીજી મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં યોજાશે.