ત્રીજી વન ડે મેચમાં વ્હાઈટ વોશથી બચવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનો કારમો પરાજય થયો. ભારતીય બેટ્સમેને 296 રન કર્યા પરંતુ તેની સામે ન્યૂઝીલેન્ડનાં બેટ્સમેન પણ ભાર્તોય બોલર્સ પર ભારે પડ્યા. શરૂઆતથી જ ન્યૂઝીલેન્ડની ટીમ સારું પ્રદર્શન કરી રહી હતી. માર્ટિન ગપ્ટિલ અને હેનરી નિકોલસે શાનદાર બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે જીત હાંસલ કરી.
31 વર્ષ બાદ ભારતની આવી હાર
જે મેદાન પર ભારતે T 20 સીરીઝ જીતી તે જ મેદાન પર ન્યૂઝીલેન્ડે બદલો લીધો
કે એલ રાહુલે ફટકારી સદી
કે એલ રાહુલે સદી ફટકારી
ત્રીજી વનડે માં પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ ખરાબ થઇ હતી. બીજી જ ઓવરમાં મયંક અગ્રવાલ (1) આઉટ થયા અને તે બાદ કેપ્ટન વિરાટ કોહલી ( 9 ) પણ આઉટ થઇ ગયા. પૃથ્વી શો 40 રન બનાવીને આઉટ શ્રેયસ અય્યર અને કે એલ રાહુલે 100 રનની પાર્ટનરશીપ પણ કરી. શ્રેયસ અય્યરે 63 રન બનાવ્યા. મેચમાં કે એલ રાહુલે શાનદાર બેટિંગ કરી હતી. તેમણે 104 બોલમાં 100 રન પૂરાં કર્યા હતા. આ તેમના કરિયરની છઠ્ઠી સદી છે. ભારતીય ટીમમાં કે એલ રાહુલની સેન્ચુરી સિવાય શ્રેયસ અય્યર, પૃથ્વી શો અને મનીષ પાંડેએ અડધી સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડનાં હામિશ બેનેટે ચાર વિકેટ લઈને ભારતનો સ્કોર 300 પાર થતાં અટકાવ્યો હતો.
31 વર્ષ બાદ આવી કારમી હાર
1988-89 પછી આ પહેલો મોકો હતો જયારે ભારતીય ટીમે ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો. 31 વર્ષ પહેલા વેસ્ટઇન્ડીઝની સામે સીરીઝમાં 5-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. નોંધનીય છે કે 2006માં પણ ભારતીય ટીમ 4-0થી હારી ગયું હતું પરંતુ તે સીરીઝમાં પહેલી મેચ વરસાદનાં કારણે રદ્દ થઇ ગઈ હતી.
જે મેદાન પર ભારતે T 20 સીરીઝ જીતી તે જ મેદાન પર ન્યૂઝીલેન્ડે બદલો લીધો
ભારતીય ક્રિકેટ ટીમ માઉન્ટ મોન્ગાનુઈમાં ત્રણ વન ડે રમી ચુક્યું છે જેમાં પહેલી વાર હાર થઇ. રોચક વાત એ છે કે આ એ જ મેદાન છે જ્યાં ટૂંક સમય પહેલા ભારતીય ટીમે ટી 20 સીરીઝમાં ન્યૂઝીલેન્ડની ટીમનો સફાયો કર્યો હતો. હવે આજે તે જ મેદાન પર વન ડે સીરીઝ જીતીને ન્યૂઝીલેન્ડની ટીમે હિસાબ બરાબર કરી લીધો છે. હવે આ બંને ટીમ ટેસ્ટ મેચમાં સામસામે આવશે. ટેસ્ટ સીરીઝની પહેલી મેચ 21 ફેબ્રુઆરીએ રમાશે. આ મેચ વેલિંગ્ટનમાં રમવામાં આવશે. બીજી મેચ 29 ફેબ્રુઆરીના રોજ રમવામાં આવશે.