બાંગ્લાદેશની સામે સીરિઝમાં પહેલી વખત મોટો ફેરફાર થઇ શકે છે. નવેમ્બરમાં રમાનારી ભારત બાંગ્લાદેશની ટેસ્ટ સીરિઝમાં પહેલી વખત ગુલાબી બોલથી ડે નાઇટ ટેસ્ટનું આયોજન થઇ શકે છે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ માટે બીસીસીઆઇએ નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને કેપ્ટન વિરાટ કોહલીની વચ્ચે ગુરુવારે ચર્ચા થઇ શકે છે.
ભારતીય ક્રિકેટમાં થશે ઐતિહાસિક બદલાવ
ભારત બાંગ્લાદેશની ટેસ્ટ સીરિઝમાં પહેલી વખત ગુલાબી બોલથી ડે નાઇટ ટેસ્ટનું આયોજન થઇ શકે છે
નવા અધ્યક્ષ ગાંગુલી હંમેશાથી ડે નાઇટ ટેસ્ટના પક્ષઘર રહ્યા છે. જો કે ગાંગુલી પોતાની વાતને કેપ્ટન અને ટીમ પર થોપવા ઇચ્છતો નથી અને આ મામલે કેપ્ટન અને ટીમ પ્રબંધનને નિર્ણય લેવા માટે કહ્યું છે.
બાંગ્લાદેશની ટીમને નવેમ્બરમાં ભારત પ્રવાસ પર આવાવનું છે જ્યાં એને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ બે ટેસ્ટ મેચોની સીરિઝ રમવાની છે, બંને ટીમો પહેલી ટેસ્ટ 14 નવેમ્બરથી ઇંદોરમાં અને બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી કલકત્તામાં રમશે. જો કે ડે નાઇટ ટેસ્ટને લઇને હાલ કોઇ મોટો નિર્ણય લેવાયો નથી પરંતુ 50 ટકા આશા છે કે બંનેમાંથી કોઇ એક ટેસ્ટ મેચ ગુલાબી બોલથી રમી શકે છે.
બીસીસીઆઇ અધ્યક્ષ બનતા પહેલા જ્યારે ગાંગુલી બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા ત્યારે એને ઘરેલૂ ક્રિકેટમાં ડે નાઇટ ટેસ્ટની શરૂઆત કરી હતી. એને જોતા એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગાંગુલીના અધ્યક્ષ બન્યા બાદ એ માટે નિર્ણય લઇ શકાય છે.
જણાવી દઇએ કે ઘણા સમયથી બીસીસીઆઇથી ડે નાઇટ ટેસ્ટ કરાવવાની માગ આઇસીસી કરતું રહ્યું પરંતુ બીસીસીઆઇ એના પક્ષમાં રહી નથી.