બાંગ્લાદેશ વિરુદ્ઘ આગામી સીરિઝ માટે આજે ટીમ ઇન્ડિયાની પસંદગી કરવામાં આવશે. 3 નવેમ્બરથી દિલ્હીમાં શરૂ થનારી આ 3 મેચની T-20 સીરિઝ (અન્ય 2 મેચ રાજકોટ અને નાગપરમાં) સિવાય બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ ચેમ્પિયનશિપ અંતર્ગત 2 ટેસ્ટ રમશે. ટેસ્ટ મેચ દરમિયાન ઇંદૌર અને કોલકાતામાં રમાશે.
બાંગ્લાદેશ વિરુદ્ઘ T-20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત આજે
કેપ્ટવ વિરાટ કોહલીને T-20 સીરિઝ માટે આપવામાં આવી શકે છે આરામ
હિટમેન રોહિત શર્માને સોંપવામાં આવી શકે છે ટીમની કમાન
રિષભ પંતની જગ્યાએ સંજૂ સૈમસને મળી શકે છે જગ્યા
સિલેક્શન કમિટી જ્યારે મુંબઇમાં ટીમની પસંદગી માટે બેઠક કરશે તો કેપ્ટન વિરાટ કોહલીના કાર્યભારના મુદ્દાને લઇને ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ રિષભ પંતની જગ્યા સંજૂ સૈમસને શામેલ કરવામાં આવી શકે છે. ટીમ ઇન્ડિયાએ ઓક્ટોબર 2018 થઈ તમામ ફોર્મેટમાં 56 મેચ રમી છે, જેમાંથી 48 માં વિરાટ કોહલી રમ્યો છે, જોકે સિલેક્શન કમિટીના આ નિર્ણય કોહલી પર જ છોડશે કે તે બ્રેક લેવા ઇચ્છે છે અથવા તો રમવા માંગે છે.
સંજૂ સૈમસને તાજેતરમાં જ વિજય હઝારે ટ્રોફી કેરલ માટે ડબલ સેન્ચુરી કરી હતી. મુંબઇના ઉદીયમાન ઑલરાઉન્ડર શિવમ દુબે પણ ચર્ચા થઇ શકે છે જેણે ઇજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની જગ્યા પર શામેલ કરવામાં આવી શકે છે. T-20 સીરિઝ 3 નવેમ્બરથી દિલ્હીમાં શરૂ થશે. કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની પસંદગી થાય તે અંગે આશા નથી કેમકે રાહુલ ચાહર અને વૉશ્ગિંટન સુંદરને વધુ એક તક આપવાનું નક્કી છે.
લોકેશ રાહુલ ટીમમાં પોતાનું સ્થાન રાખશે તેવી સંભાવના છે. શિખર ધવનના ફોર્મને જોઇને સિલેક્ટર્સ વધુ એક સીરિઝમાં રાખી શકે છે, પરંતુ જો તેણે બહાર કરવામાં આવે તો મયંક અગ્રવાલ રિઝર્વ ઑપનર તરીકે વિલ્કપ હોઇ શકે છે. દીપક ચાહર, નવદીપ સૈની અને ખલીલ અહમદને ફાસ્ટ બૉલર તરીકે ટીમમાં પસંદ થઇ શકે છે.