દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે જ્યાં એકબાજુ આરોગ્ય ક્ષેત્રે અરાજકતા જેવી સ્થિતિ વ્યાપી રહી છે, ત્યારે હાલના સંક્રમણમાં એક ભારતીય સ્ટ્રેઇન પણ દેખાયો છે, જેના પર સ્ટડી કરતાં નવા તથ્યો સામે આવ્યા છે.
કોરોનાનો ભારતીય સ્ટ્રેઇન પણ છે
B.1.617 નામના સ્ટ્રેઇનને ઇંડિયન સ્ટ્રેઇન માનવામાં આવે છે
વધુ ઝડપે ફેલાય છે તેવુ અનુમાન, પણ ઘાતક્તા અંગે સંશોધન બાકી
મહત્વનું છે કે કોરોનાના આ ભારતીય સ્ટ્રેઇન વિશે એક્સપર્ટસનું માનવું છે કે તે યુકે સ્ટ્રેઇનની માફક જ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જો કે હજુ સુધી આ વાતના ખૂબ જ ઓછા પુરાવા હાથ લાગ્યા છે કે આ સ્ટ્રેઇન મૂળ વાયરસ કરતાં વધુ ઘાતક છે. નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાઈંસેઝના નિદેશક સૌમિત્ર દાસે કહ્યું હતું કે B.1.617 ના ઘાતક હોવા અંગે હજુ સુધી કોઈ રિપોર્ટ આવી નથી.
મહારાષ્ટ્ર - દિલ્હીમાં સૌથી વધુ જોવા મળે છે આ સ્ટ્રેઇન
મહત્વનું છે કે સાર્સ-કોવ 2ના B.1.617 સ્વરૂપને ભારતીય સ્ટ્રેઇન કહેવામાં આવે છે, જેનું પ્રમાણ હાલમાં મહામારીમાં સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયેલા મહારાષ્ટ્ર અને દિલ્હીમાં વધુ જોવા મળ્યો છે. નોંધનીય છે કે આ બંને જગ્યાઓ પર સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.
આ મામલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રીટેવ બાયોલોજીના નિર્દેશક અનુરાગ અગ્રવાલે કહ્યું હતું કે જ્યાં સુધી અમારી જાણકારી છે કે ન તો યુકે સ્ટ્રેઇન અને ન તો આ બીમારી મોતની વધતી ગંભીરતા સાથે જોડાયેલ છે. આ પુરવાર થયેલું છે કે યુકે સ્ટ્રેઇન વધુ ઝડપે ફેલાય છે, અને સંભવ છે કે B.1.617 વધુ ઝડપે ફેલાતું હોય, જો કે આ હજુ સુધી પુરવાર થયું નથી, પરંતુ આ વાતના ઘણા લક્ષણ છે, જો કે સ્ટડી હજુ સુધી પૂરું થયું નથી. નોંધનીય છે કે વાયરસના જીનોમ સિકવેનસિંગમાં સામેલ દેશની ૧૦ લેબમાં IGIB પણ એક છે.
સ્ટ્રેઇન જેટલો વધુ ઝડપે ફેલાય, મોત પણ તેટલા જ વધે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હજુ સુધી આ વાતની કોઈ સાબિતી નથી કે કયા પ્રકારની ક્ષમતા વધી છે, મહારાષ્ટ્રના અનુભવથી એવું લાગે છે કે આ વધુ ઝડપે ફેલાય છે, પણ તે પુરવાર થવાનું હજુ સુધી બાકી છે. ગત વર્ષે પહેલી લહેરની સરખામણીએ આ વખતે મોતની સંખ્યા વધુ છે આ મામલે પૂછતાં તેમણે કહ્યું હતું કે આનો સીધો સંબંધ એ વાતની સાથે છે કે કયો સ્ટ્રેઇન કેટલી ઝડપે ફેલાઈ શકે છે, જેટલા વધુ દર્દીઓ સંક્રમિત થશે, મોતની સંખ્યા પણ વધુ થતી જશે.