ચક્રવાતી તોફાન વાયુના પ્રભાવથી બચવા માટે 10 ચીની જહાજોએ ભારતની શરણ લીધી છે. આ જહાજો મહારાષ્ટ3ના રત્નાગિરી બંદર પર લાંગરવામાં આવ્યા છે. ભારતીય તટરક્ષક મહાનિરીક્ષક કે.આર સુરેશે આ ઘટના અંગે કહ્યું હતું કે, ભારતીય કોસ્ટ ગાર્ડે તેમને સુરક્ષાના ઘેરા સાથે રહેવાની મંજૂરી આપી છે.
આપને જણાવી દઇએ કે, તો આ તરફ વાયુના પ્રભાવને કારણએ વિમાની વ્યવસ્થામાં અડચણો આવી રહી છે. ભારતીય વાયુસેનાનું એક વિમાન દિલ્હીથી વિજયવાડા તરફ જઇ રહ્યું હતું. આ વિમાન NDRF ના 160 કર્મચારીઓને લઇને જઇ રહ્યું હતું. જે ગુજરાતમાં વાયુ વાવાઝોડાથી પ્રભાવિત થતાં લોકોની મદદ માટે જઇ રહ્યા હતા.
Indian Coast Guard Inspector General, KR Suresh: 10 Chinese vessels seek shelter at the Ratnagiri port (in Maharashtra) to avoid being hit by the fury of #CycloneVayu. On humanitarian grounds, Indian Coast Guard allows them to stay there under security cordon. pic.twitter.com/vSVo2F08no
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબ સાગરમાં લો પ્રશર સર્જાયું છે, જેના કારણે ગુજરાતમાં 13 તારીખે વાયુ વાવાઝોડું આવવાની સંભાવનાઓ સેવવામાં આવી હતી. આગામી 24 કલાકમાં વાયુ વધુ ઝડપી બનવાની બનશે. વાયુ ગુજરાતના વેરાવળ નજીકના દરિયાકાંઠે અથડાઇ શકે છે. જેને લઇને ભારતના દરિયા કાંઠાના વિસ્તારમાં તેની ગતિ 110થી 135 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.
આ મામલે ગુજરાતના મુખ્ય સચિવ કહ્યું હતું કે, વાયુ વેરાવળની આસપાસ બુધવારે ટકરાઈ શકે છે, જેને લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક અસરથી એક સમીક્ષા બેઠક બોલાવી હતી. વાયુ વાવાઝોડાને લઇને ગુજરાત સરકાર દ્વારા તમામ અધિકારીઓની રજાઓ રદ્દ કરવામાં આવી છે. તથા NDRF ટીમને પણ કામે લગાડવામાં આવી છે.