પોરબંદરમાં ભારતીય જળસીમામાં ઘુસી આવેલા 18 પાકિસ્તાની માછીમારોની કોસ્ટગાર્ડે અટકાયત કરી હતી.
પોરબંદરમાં 18 પાકિસ્તાની માછીમારો ઝડપાયા
બોટ અને માછીમારોને ઓખા કનકાઇ જેટી લવાયા
સુરક્ષા એજન્સીઓએ જોઈન્ટ ઈન્ટ્રોગેશન શરુ કર્યુ
પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ઘુસી આવેલા 18 માછીમારો અને બે બોટને કનકાઈ જેટી પર લઈ જવામાં આવ્યા. ત્યાર બાદ ઓખામાં તમામ માછીમારોને RTPCR ટેસ્ટ કરાયા હતા.
18 પાકિસ્તાની માછીમારો ઝડપાયા
હવે તમામ સુરક્ષા એજન્સીઓ માછીમારો સાથે ઘુસણખોરી મામલે સંયુક્ત રીતે પૂછપરછ કરશે. પૂછપરછ બાદ પકડાયેલા તમામ માછીમારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગીર સોમનાથ પાસેના દરિયામાં બોટ ગૂમ
મળતી વિગતો પ્રમાણે ગીર સોમનાથના દરિયામાં ગત 30 નવેમ્બરના રોજ બોટ ગાયબ થવાની ઘટના બની હતી. જે આજદિવસ સુધી પરત નહીં આવતા કોસ્ટગાર્ડ અને તપાસ એજન્સીઓ દ્વારા યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગાયબ થયેલ બોટ વેરાવળની હતી અને જેમાં 5 માછીમારો પણ હતા, જેઓ આજ દિવસ સુધી ઘરે પરત નહીં ફરતા તપાસ એજન્સીઓ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પાકિસ્તાન મરીને 30 નવેમ્બરે ભારતીય જળસીમામાંથી 3 બોટનું કર્યું હતું અપહરણ
ભારતીય જળવિસ્તારમાંથી પાકિસ્તાન મરીન એજન્સીએ 3 બોટ સહિત 18 માછીમારોનું અપહરણ કર્યું છે. મળતી માહિતી અનુસાર, અપહ્યત બોટમાં 2 પોરબંદર અને 1 ઓખાની બોટનો સમાવેશ થાય છે. આ બોટમાં કુલ 18 માછીમારો હતો. 18 માછીમારનું અપહરણ કર્યું છે. તેઓ રાબેતા મુજબ જ દરિયો ખેડવા નીકળ્યા હતા અને પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ તેમને ચેતવણી આપવાના બદલે તેમનું અપહરણ કર્યુ છે.
થોડા દિવસ પહેલા બોટ લાંગરવા ગયેલા આશરે 8 જેટલા ખલાસીઓ થયાં હતા ગૂમ
નોંધનીય છે કે ગઈકાલે મોડી રાતથી જ દિવમાં વરસાદ પડી રહ્યો છે અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. એવામાં ભારે પવન વચ્ચે નવા બંદર પર લાંગરેલી 15 બોટ તણાઇ ગઈ છે. આટલું જ નહીં બંદર પર બોટ લાંગરવા ગયેલા આઠ ખલાસીઓ ગુમ થયા હોવાના સમાચાર પણ પ્રાપ્ત થયા છે. ખલાસીઓના પરિવાર પણ ચિંતામાં મૂકાયા છે. જોકે આ મામલે સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા આગામી સમયમાં સત્તાવાર નિવેદન આપવામાં આવે તેવી પૂરી શક્યતા છે.