ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન રહી ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોનીએ એક વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ધોનીના આ નિર્ણયથી આખા વિશ્વના ક્રિકેટ પ્રેમીઓને ઝાટકો લાગ્યો હતો. અત્યારે ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ધોનીના ટેસ્ટ ક્રિકેટમાંથી લીધેલી નિવૃત્તિ સંદર્ભે એક મોટું નિવેદન આપ્યું છે.
રવિ શાસ્ત્રીએ મહેન્દ્ર સિંહ ધોનીનું ખોલ્યુ રહસ્ય
બુક સ્ટારગેજિંગ: ધ પ્લેયર્સ ઈન માઈ લાઈફમાં કહી વાત
ધોનીની નિવૃત્તિ વખતે તેમને મનાવવાનો પ્રયાસ ખૂબ કર્યો હતો
શાસ્ત્રીએ ધોનીનું ખોલ્યું રાજ
ધોનીએ 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતી વખતે પણ કંઈક આવુ કર્યુ હતુ. ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી કે જેણે પોતાની બુક સ્ટારગેજિંગ: ધ પ્લેયર્સ ઈન માઈ લાઈફમાં કેટલાંક ખેલાડીઓ અંગે લખ્યું છે. તેમણે કહ્યું કે, તેમણે ભારતના પૂર્વ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીને પુન: વિચાર કરવા માટે મનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, ધોનીએ પોતાના નિર્ણય પર દ્રઢ રહેવાનો નિર્ણય કર્યો હતો. ધોનીએ જ્યારે નિવૃત્તિ લીધી હતી ત્યારે શાસ્ત્રી ટીમના નિર્દેશકની ભૂમિકામાં હતા.
ધોનીના નિર્ણયમાં એક દ્રઢતા હતી: શાસ્ત્રી
શાસ્ત્રીએ લખ્યું, દરેક ક્રિકેટર કહે છે કે તેમના માટે પાયો મહત્વનો નથી. પરંતુ તેઓ કઈક અલગ જ કરે છે. મેં આ મુદ્દે મહેન્દ્ર સિંહ ધોનીનો સંપર્ક કર્યો હતો અને પ્રયાસ કર્યો હતો કે તેઓ પોતાનું મન બદલી શકે. પરંતુ ધોનીના નિર્ણયમાં એક દ્રઢતા હતી કે જેણે મને આ મુદ્દાથી આગળ વધતા અટકાવ્યો હતો. જ્યારે મેં ઊંડુ વિચાર્યુ તો મને લાગ્યુ કે ધોનીનો નિર્ણય યોગ્ય અને નિ:સ્વાર્થ હતો. તેમણે કહ્યું, ક્રિકેટમાં દરેક પાવરફૂલ પોઝીશનને છોડવી એટલી સરળ હોતી નથી. ધોનીની વિકેટ પાછળ અને તેમની ટેકનિકનો કોઈ જવાબ નથી. યુવાનોને મારી સલાહ છે કે કોઈ પણ યુવાન ધોનીની નકલ કરવાનો પ્રયત્ન ના કરે.
ધોનીનો નિર્ણય નિસ્વાર્થ હતો
ભારતના પૂર્વ ઓલરાઉન્ડરનું કહેવુ છે કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની એકાએક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય સાહસી અને નિ:સ્વાર્થ હતો. શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, ધોનીએ 2014માં 90 ટેસ્ટ મેચ રમી હતી અને તેમણે 100 ટેસ્ટ મેચ રમવાની રાહ પણ નહોતી જોઈ. શાસ્ત્રીએ પોતાની બુક સ્ટારગેજિંગ: ધ પ્લેયર્સ ઈન માઈ લાઈફમાં લખ્યું, ધોની એવા ખેલાડી છે, જે ભારતના નહીં પરંતુ વિશ્વના મોટા ખેલાડી હતા. જેના નામે ત્રણ આઈસીસી ટ્રોફી હતી જેમાં બે વિશ્વ કપ સામેલ છે.