બુધવારે લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયએ સીએએ અને એનઆરસીને લઈને વિસ્તારથી જાણકારી આપી. તે જાણકારી મુજબ તેમણે એવા આંકડા પણ સદનમાં રાખ્યા જેને જાણી તમામ હેરાન થઈ ગયા. નિત્યાનંદ રાયે જણાવ્યું કે 5 વર્ષમાં 87 દેશોના કુલ 10, 646 લોકોએ ભારતની નાગરિક્તા માગી છે.
સૌથી વધારે પાકિસ્તાનીઓએ ભારતની નાગરિક્તા માગી
આંકડા મુજબ ભારતની નાગરિક્તાની સૌથી વધારે માગ પાકિસ્તાનીઓ દ્વારા કરવામાં આવી. જણાવવામાં આવ્યું છે કે ગત 5 વર્ષોમાં પાકિસ્તાનમાં બેઠેલા અલ્પસંખ્યક લોકોએ ભારતની શરણમાં આવવાનું શરુ કર્યું છે. કુલ 7782 પાકિસ્તાનીઓએ ભારતીય નાગરિક્તા માટે અપીલ કરી છે.
આ લિસ્ટમાં બીજા નંબર પર પડોશી દેશ બાંગ્લાદેશ
આ ઉપરાંત આ લિસ્ટમાં બીજા નંબર પર પડોશી દેશ બાંગ્લાદેશ છે. જ્યાંથી 184 લોકોએ ભારતની નાગરિક્તા માગી છે. ત્રીજા નંબર પર સંકટમાં ઘેરાયું છે અફઘાનિસ્તાન છે. જ્યાંના 795 લોકોને ભારતના નાગરિક બનવવા માટે તૈયારી દર્શાવી છે.
ત્યારે ગત 10 વર્ષની વાત કરીએ તો આ યાદીમાં બાંગ્લાદેશ, પાકિસ્તાનને પછાડીને નંબર 1 બન્યું છે. આંકડા મુજબ ગત 10 વર્ષોમાં 15, 176 બાંગ્લાદેશીઓએ ભારતની નાગરિક્તા માગી છે. ત્યારે 4085 પાકિસ્તાની પણ એવા હતા જેમને ભારત આવવું યોગ્ય લાગ્યું.
ગત 5 વર્ષમાં 6 લાખથી વધારે ભારતીયોએ પોતાની નાગરિક્તા છોડી
તેવામાં એક વર્ગ એવો પણ છે જેમણે ભારતની નાગરિક્તા છોડી છે. ગત 5 વર્ષમાં 6 લાખથી વધારે ભારતીયોએ પોતાની નાગરિક્તા છોડી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી રાયે જણાવ્યું કે ગત વર્ષોમાં 6 લાખથી વધારે ભારતીયોએ નાગરિક્તા છોડી છે.
કયા વર્ષે કેટલા લોકોએ નાગરિક્તા છોડી
એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે કહ્યું કે 2017માં 1,33,049 ભારતીયોએ નાગરિક્તા છોડી દીધી. ત્યારે 2018માં 1,34, 561 લોકોએ ભારતીય નાગરિક્તા છોડી. 2019માં 1, 44,017 ભારતીયોએ પોતાની નાગરિક્તા છોડી. તો 2020માં 85, 248 લોકોએ આ વર્ષના 30 સપ્ટેમ્બર 2021 સુધી 1, 11, 287 ભારતીયોએ પોતાની નાગરિક્તા છોડી ચૂક્યા છે.