દેશ છોડીને વિદેશમાં નાગરિકતા લેનારા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લા સાત વર્ષમાં લાખો લોકોએ વિદેશની નાગરિકતા લીધી છે અને ભારત દેશ છોડી દીધો છે.
દેશ છોડીને વિદેશોમાં નાગરિકતા લેતા લોકો
દેશ છોડનારા લોકોની સંખ્યામાં વધારો થયો
છેલ્લા સાત વર્ષમાં 8 લાખથી વધારે લોકોએ દેશ છોડ્યો
દેશમાં એવો માહોલ બની રહ્યો છે કે, અહીં અદ્વિતિય વિકાસ થઈ રહ્યો છે. લોકો ફક્ત આર્થિક જ નહીં, પણ જીવનના દરેક ક્ષેત્રમાં કીર્તિમાન સ્થાપિત કરી રહ્યા છે, પણ આ દાવાની વચ્ચે ભારતમાંથી થઈ રહેલા મહાપલાયનને આપ દ ગ્રેટ ઈંડિયન માઈગ્રેશન એવું નામ પણ આપી શકો છો. દરરોજ 350 ભારતીયો પોતાની નાગરિકતા છોડી રહ્યા છે. એવું નથી કે, ફક્ત બેરોજગારી અને ગરીબીથી ત્રસ્ત લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પણ માહોલ એવો છે કે, અબજોપતિઓ પણ ભાગી રહ્યા છે. ચોંકાવનારા આ આંકડા જોઈને આપ પણ કહેશો, કે આવું કેમ થઈ રહ્યું છે.
7 વર્ષમાં 8.81 લાખ ભારતીયોએ છોડી દેશની નાગરિકતા
લોકસભામાં એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરી 2015થી 30 સપ્ટેમ્બર 2021ની વચ્ચે લગભગ 9 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે. આ આંકડા અનુસાર દરરોજ લગભગ 350 ભારતીયો દેશ છોડી રહ્યા છે. રાયે જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલય પાસે મળી રહેલા આંકડા અનુસાર હાલમાં કુલ 1,33,83,718 ભારતીયો વિદેશમાં વસી રહ્યા છે.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2017માં 1,33,049 ભારતીયોએ નાગરિકતા છોડી. 2018માં 1,34,561 તો વળી 2019માં 1,44,017, જ્યારે 2020માં 85,248 અને 30 સપ્ટેમ્બર 2021 સુધી 1,11,287 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી હતી.
ક્યા દેશમાં જવા માગે છે લોકો
ભારત છોડીને જનારા લોકોની સૌથી પહેલી પસંદ અમેરિકા છે. દેશ છોડીને જનારા લોકોમાં 42 ટકા લોકોએ અમેરિકાની નાગરિકતા લીધી છે. બીજી પસંદ કેનેડા છે. જ્યારે 2017થી 2021ની વચ્ચે 91 હજાર ભારતીયોએ નાગરિકતા લીધી છે. ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયા છે, જ્યાં 86,933 ભારતીયો પાંચ વર્ષમાં નાગરિક બન્યા છે. ત્યાર બાદ ઈંગ્લેન્ડમાં 66,193 અને 23,490 ભારતીયોએ ઈટલીની નાગરિકતા મેળવી છે.