ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રાગનનંદાએ વર્લ્ડ નંબર વનને 39 ચાલમાં હરાવ્યો. આ રીતે તેણે આ પહેલા સતત 3 મેચ જીતી ચૂકેલા કાર્લસનના વિજય અભિયાનનો પણ અંત આણ્યો હતો.
ચેસ જગતને ચોંકાવી દીધું
ભારતીય ગ્રાન્ડમાસ્ટરના આ જીતથી આઠ પોઈન્ટ છે અને તે આઠમા રાઉન્ડ બાદ સંયુક્ત 12મા સ્થાને છે. અગાઉના રાઉન્ડમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરનાર કાર્લસન સામે પ્રજ્ઞાનંદની જીતે રમત જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો. તેણે અગાઉ લેવ એરોનિયન સામે માત્ર જીત નોંધાવી હતી. આ સિવાય પ્રજ્ઞાનંદે 2 મેચ ડ્રો રમી હતી જ્યારે 4 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
એરથિંગ્સ માસ્ટરના આઠમાં રાઉન્ડમાં કાર્લસને એટલી મોટી ભૂલ કરી દીધી હતી કે પછી ભારતીય પ્રતિસ્પર્ધીએ તેને ગેમમાં પાછા આવવાની તક જ નહોતી આપી. પછી આખરે ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રાગનનંદાએ એ કરી બતાવ્યું હતું કે જેના માટે ભારતના ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ પણ તેને શાબાશી આપશે.
આ જ ટુર્નામેંટમાં પ્રાગનનંદાની સફર એટલી ખાસ રહી નથી પરંતુ આ વિજય બાદ તેનો આત્મવિશ્વાસ અલગ જ સ્તરે પહોંચી જશે એ સ્પષ્ટ છે.