કેન્દ્ર સરકાર દ્વારા જડબાતોડ જવાબ આપ્યા બાદ અંતે બ્રિટિશ સરકારને જુકવુ પડ્યું છે. બ્રિટને નરમ વલણ અપનાવતા ક્વોરન્ટાઇન નિયમોમાં ફેરફાર કર્યો છે.
બ્રિટન સરકારની સાન ઠેકાણે લાવ્યું ભારત
કોવિશીલ્ડ વેક્સિન લઇ ચૂકેલા ભારતીયોને બ્રિટનમાં ક્વોરન્ટાઇન નહીં થવું પડે
બ્રિટનનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો
બ્રિટન સરકારે નિર્ણય લીધો કે જે ભારતીયોને કોવિશીલ્ડ વેક્સીનના બન્ને ડોઝ લીધા હોય, તેમને ક્વોન્ટાઇનમાં નહીં રહેવું પડે. આ સિવાય, જે વેક્સિનને બ્રિટિશ સરકારે મંજૂરી આપી દીધી છે, તેના બન્ને ડોઝ લેનારા ભારતીયોને પણ ક્વોરન્ટાઇનમાં રહેવાની જરૂરિયાત નથી.
#WATCH | No quarantine for Indian travellers to UK fully vaccinated with Covishield or another UK-approved vaccine from October 11: Alex Ellis, British High Commissioner to India pic.twitter.com/jShYtECRf2
ભારતમાં બ્રિટનના રાજદૂત એલેક્સ એલિસે ટ્વિટ કરીને બ્રિટન દ્વારા પ્રવાસ નિયમોમાં કરવામાં આવેલા ફેરફારની માહિતી આપી. તેમણે લખ્યું, ભારતથી બ્રિટન જનારા ભારતીયો માટે કોઇ પણ ક્વોરન્ટાઇન નિયમ લાગૂ નહીં પડે. તેમણે કોવિશીલ્ડ કે પછી યૂકે-અપ્રૂવ્ડ વેક્સિન લીધેલી હોવી જોઇએ. આ નિયમ 11 ઓક્ટોબરથી લાગૂ થશે. આ સાથે બ્રિટન સરકારે ભારત સરકારનો આભાર પણ માન્યો હતો. એલેક્સે કહ્યું કે, ગત મહિનાથી સહયોગ માટે ભારત સરકારનો આભાર.