ચેન્નાઈની પીચ સ્પિનર્સ માટે ખૂબ મદદગાર માનવામાં આવે છે. માટે ટીમ ઈન્ડિયાએ પહેલી ટેસ્ટમાં ત્રણ સ્પિનર્સનો સમાવેશ કર્યો છે. પણ સ્પિન બોલર્સે 56 ઓવર્સમાં ફક્ત ઈન્ડિયા માટે ઈંગ્લેન્ડની એક જ વિકેટ ખેરવી હતી.
રવીન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં સામેલ ના થઈ શક્યો
સ્પીનર્સ માટેની પીચમાં પણ સ્પીનર્સ કમાલ ના કરી શક્યા
ઈંગ્લેન્ડનાં બેટ્સમેનોએ કર્યા ભારતીય બોલર્સને બેહાલ
ભારતીય બોલર્સની ખૂબ ખરાબ હાલત
શુક્રવારથી ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઈમાં પહેલી ટેસ્ટ મેચની શરુઆત કરવામાં આવી છે. પહેલી ટેસ્ટમાં ઈન્ડિયાનાં બોલર્સની ઈંગ્લેન્ડનાં બેટ્સમેને ખૂબ ખરાબ હાલત કરી હતી. ટીમ ઈન્ડિયાને સ્પિન માટે મદદગાર પીચે આખા દિવસ દરમિયાન ફક્ત ત્રણ વિકેટ અપાવી હતી. ભારતનાં બોલર્સનું ખરાબ પ્રદર્શન જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સે રવીન્દ્ર જાહેજાને યાદ કર્યો હતો.
રવીન્દ્ર જાડેજાને અંગૂઠામાં ફ્રેક્ચર
રવીન્દ્ર જાહેજા ઓસ્ટ્રેલિયામાં સિડની ટેસ્ટ દરમિયાન ઘાયલ થયો હતો. રવીન્દ્ર જાડેજાને હાથનાં અંગુઠામાં ફ્રેક્ચર થયું હતુ અને માટે તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં જોડાઈ શક્યો નહતો. રવીન્દ્ર જાડેજાની અનુપસ્થિતિમાં ટીમ ઈન્ડિયા ત્રણ સ્પીનર્સ સાથે મેદાનમાં ઉતરી છે.
રવીન્દ્ર જાડેજા થયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ
સ્પીનર્સને મદદરુપ પીચ પર આર. અશ્વીન, નદીમ અને સુંદરે 56 ઓવર બોલિંગ કરી અને ફક્ત એક જ વિકેટ ખેરવી હતી. સુંદરે તો 12 ઓવરમાં 4.6ની ઇકોનોમી રેટ સાથે 55 રન આપ્યા હતા જ્યારે નદીમે 20 ઓવરમાં 69 રન ખર્ચ્યા હતા. જ્યારે ભારતીય બોલર્સ ચેન્નાઈમાં ખરાબ રીતે નાકામયાબ રહ્યા ત્યારે રવીન્દ્ર જાડેજા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો. એક ફેને તો સીધુ લખી દીધુ કે ઈન્ડિય ટીમ રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીની બોલિંગ મીસ કરી રહી છે.
નવા બોલ સાથે વધારે વિકેટ લેનાર બોલરમાં સામેલ
ઉપરાંત નવા બોલ સાથે સૌથી વધારે વિકેટ લેવાનાં આંકડાને જોતા પણ ખ્યાલ આવે છે કે ટીમ ઈન્ડિયાને જાડેજાની અનુપસ્થિતિ કેટલી ભારે પડી રહી છે. જાડેજા 2002 બાદથી ભારત માટે નવા બોલથી બોલિંગ કરીને સૌથી વધારે વિકેટ લેનાર બોલરમાં સામેલ છે.