આ વખતે ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમવાની છે અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મૅચની ટેસ્ટ સિરીઝમાં પણ હિસ્સો લેવાનો છે. આ પ્રેસ કોન્ફરન્સમાં એક ખેલાડીના પિતાના નિધનનો પણ ખુલાસો કર્યો છે.
આ ખેલાડી વિરાટ કોહલીની IPL ટીમ અને હવે ભારતીય ટીમનો મહત્વનો હિસ્સો બની ગયેલા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ છે. સિરાજ જ્યારે ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર હતો ત્યારે તેના પિતાનું નિધન થઇ ગયુ હતુ.
મોહમ્મદ સિરાજે કહ્યું કે, પિતાના નિધન પર કોચ રવિ શાસ્ત્રીએ તેને કહ્યું કે, તુ ટેસ્ટ મૅચ રમ, તને પાંચ વિકેટ મળશે અને તારા ડેડીની દુઆ તારી સાથે રહેશે. તને કહ્યું હતુ ને કે પાંચ વિકેટ મળશે. કોચે આ પ્રકારે મારી હિંમત વધારી હતી. સિરાજે ઐતિહાસિક ગાબા ટેસ્ટની બીજી ઇનીંગમાં 5 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સૌથી વધારે વિકેટ
ભારતને 2020-21ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીત મળી હતી. 25 વર્ષના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે મેલબર્નમાં રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ડેબ્યુ કર્યુ હતુ અને શાનદાર પફોર્મન્સ આપ્યુ હતુ. ઓસ્ટ્રેલિયાના 13 બેટ્સમેનને પેવેલિયન મોકલ્યા હતા.