ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મામલતદાર કચેરીના, જ્યાં આજે મોટી સંખ્યામાં પાકિસ્તાન જેલમાં કેદ માછીમાર પરિવારની મહિલાઓ રોષ સાથે એકઠી થઈ અને સુત્રોચાર સાથે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના 350થી વધુ પાક જેલમાં કેદ
માછીમારોને છોડાવવા મહિલા ઓ આવી મેદાને
મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ સુત્રોચાર આપ્યું આવેદન
ગીર સોમનાથ જિલ્લાના 350થી વધુ પાક જેલમાં કેદ છે. માછીમારોને છોડાવવા મહિલાઓ મેદાને આવી છે. માછીમાર પરિવારની મહિલાઓનું કહેવું છે કે છેલ્લા 4-4 વર્ષથી પાકિસ્તાન જેલમાં તેમના ઘરના મોભીઓ ચબડી રહ્યા છે. તેમ છતાં સરકાર તેમને છોડાવવા માટે પ્રયત્ન કરતી નથી. કોરોના બાદ તો પત્ર વ્યવહાર અને ટેલિફોનિક વાતો પણ બંધ થઈ છે.
'કોરોના કાળમાં વિદેશમાં વસતા ભારતીયો પોતાના વતન પરત આવી શકે તો અમારા પરિજનો કેમ નહિ'
મહિલાઓનો આક્ષેપ છે કે માછીમારોને પાક જેલમાંથી છોડાવવા પ્રત્યે સરકાર ઉદાસીન દાખવી રહી છે. કોરોનાકાળ દરમિયાન વિદેશમાં વસતા ભારતીયો પોતાના વતન પરત આવી શકે તો અમારા પરિજનો કેમ નહિ. એટલે જ આજે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી રોષ ઠાલવ્યો હતો. સાથે પાક વિરુદ્ધ અને મોદી સરકાર મદદ કરોના સુત્રોચાર કરી કોડીનાર મામલતદારને આવેદન આપી રજુઆત કરી હતી. ટુંક સમયમાં માછીમારોને છોડાવવા સરકાર પ્રયત્ન નહિ કરે તો આંદોલન પણ કરવા પડશે તો કરીશ.
માછામારોના પરિવારજનોની વ્યથાઃ
એક માછીમારના પત્નીએ વેદના ઠાલવતા કહ્યું કે, મારે ઓપરેશન કરાવવાનું છે પણ મારા ઘરવાળા નથી તો કોઇ ઘરવાળા વગર ઓપરેશન કેમ કરવું. હું મરી જઇશ તો મારા સંતાનોનું શું થશે. અમે પૈસા ક્યાંથી લાવીશું, અમને કોઇ સહાય નથી.
અન્ય એક માછીમારના પત્નીએ કહ્યું કે, પાકિસ્તાનની જેલમાંથી કોઇ દિવસ ફોન નથી આવ્યો. માત્ર એક વર્ષ ટપાલ આવી. અમારે દુનિયાની તકલીફ છે, ઘરમાં કોઇ પુરૂષ નથી. મારા ઘરના 3 લોકો પાકિસ્તાનની જેલમાં છે.
એક માછીમારના પત્નીએ રોષ ઠાલવતા કહ્યું કે, દર વખતે આવેદનો જ આપવાના? બધા એમ કેય છુટી જશે છુટી જશે, કોઇ જવાબ નથી આપતા. અમે રસ્તા પર આવીશું તો ત્યારે જવાબ આપીશું. સહાયથી શું થાય, 4-4 વર્ષથી સબડે છે. ક્યારેય કોઇ અમને પુછવા નથી આવતું.
પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતના 500થી વધુ માછીમારો, અનેક માછીમારોને જેલમાં વર્ષો થયા
બીજી તરફ માછીમાર પરિવારની મહિલાઓ આક્રોશ પણ યોગ્ય હોય તેવું લાગી રહ્યું. કારણ કે પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતના 500થી વધુ માછીમારો પૈકી અનેક માછીમારોને બે-બે વર્ષ થયાં છે. તો અનેકને 3-4 વર્ષ જેવો સમય થવા છતાં પાક જેલમાંથી મુક્તિ ન મળતા હવે માછીમારોના પરિજનોની ધીરજ ખુટી હોવી તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાન જેલમાં પોતાના પરિજનો કેદ હોવાને લઇ અનેક પરિવારો મુશ્કેલી માં પણ મુકાયા છે. ઘણા લોકોના ઘરમાં બીમારીએ ભરડો લીધો છે. તો ઘણાને પોતાના બાળકોના અભ્યાસને લઈ ચિંતા છે. પોતાના ઘરના મોભીના વિરહમાં નાના ભૂલકાઓ સહિત વૃધ્ધો પણ ચિંતામાં મુકાયા છે કે ક્યારે પોતાનો સંતાન પાક જેલમાંથી મુક્ત થઈ ઘરે આવશે.
અઠવાડિયામાં જ 30 માછીમારોનું અપહરણ
ગઇકાલે જ પોરબંદર IMBL નજીક 6 માછીમારોનું પાક. મરીન દ્વારા ફિશિંગ બોટ સાથે અપહરણ કરાયું હતું. આ પહેલા જ 4 ફિશિંગ સાથે 24 માછીમારોનું અપહરણ થયું હતું.
500માંથી 350 માછીમારો તો માત્ર ગીર સોમનાથ જિલ્લાના
ત્યારે સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે. જેમાંથી 350 તો માત્ર ગીર સોમનાથ જિલ્લાના જ છે. એટલે જ છેલ્લા ઘણા સમયથી અનેકવાર રજુઆત કરવા છતાં માછીમારો ન છૂટતા મહિલાઓમાં રોષ સાથે વેદના જોવા મળી હતી.
ત્યારે સવાલ થાય છે કે માછીમાર મહિલાઓનું રૂદન ક્યારે સંભળાશે ? ઘણા પરિવારોમાં રોગે ભરડો લીધો છે, તેની સારવાર કોણ કરશે ? આ પરિવારોને યોગ્ય રીતે સહાય કેમ મળતી નથી ? સરકારમાં આટલી ઉદાસીનતા કેમ ? વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવી શકાય તો માછીમારોને કેમ નહીં ? કેમ વિરોધ થાય ત્યારે જ આપણે જાગીએ છીએ ? પાકિસ્તાનને ક્યારે સબક શીખડાવવામાં આવશે ?