ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં ટીમ ઈન્ડીયાના કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે સદી ફટકારી છે.
ઈન્દોર વનડેમાં રોહિત-શુભમનની ધમાલ
બન્નેએ ફટકારી સદી
રોહિતે 101 તો ગીલે 112 રન કર્યાં
ભારત ન્યુઝીલેન્ડના સુપડાં સાફ કરી નાખશે
ટીમ ઈન્ડીયા તેના ઓરિજનલ ફોર્મમાં આવી છે. ટીમ ઈન્ડીયા એક મોટો ઈતિહાસ રચવા તરફ જઈ રહી છે. ઈન્દોરમાં ચાલી રહેલી વનડે સિરિઝની અંતિમ મેચમાં ભારતીય બેટ્સમેનોનું રૌદ્ર સ્વરુપ સામે આવ્યું છે. ઈન્દોરમાં ન્યુઝીલેન્ડ સામેની અંતિમ વનડેમાં કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલની દમદાર ઈનિંગ જોવા મળી હતી. રોહિત શર્માએ 101 અને શુભમન ગીલે 112 રન ફટકારીને ટીમ ઈન્ડીયાને મોટો સ્કોર ઊભો કરવામાં મદદ મળી હતી.
#IndvsNZ भारत और न्यूज़ीलैंड के बीच इंदौर में खेले जाेने वाले तीसरे एकदिवसीय मैच में भारत ने पहले बल्लेबाज़ी करते हुए 29 ओवर में 2 विकेट के नुकसान पर 231 रन बनाए। रोहित शर्मा 101 और शुभमन गिल 112 रन बनाकर आउट हुए। pic.twitter.com/DEuLX2gR8n
વન-ડેમાં ગિલની ચોથી સદી
ભારતીય ઓપનર શુભમન ગિલે આ સિરીઝમાં બીજી સદી ફટકારી છે. ગીલે 72 બોલમાં સદી કરી હતી. ગીલે પ્રથમ વનડેમાં પણ બેવડી સદી ફટકારી હતી. ગિલની વનડે કારકિર્દીની આ ચોથી સદી છે. ગિલે અત્યાર સુધી પોતાની ઈનિંગમાં 13 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા છે.
ત્રીજી વનડેમાં ઈતિહાસ રચશે ટીમ ઈન્ડીયા
ટીમ ઈન્ડીયા ત્રીજી વનડેમાં એક મોટો ઈતિહાસ રચવા જઈ રહી છે. જીતની સાથે ટીમ ઈન્ડીયા ઈન્ટરનેશનલ વનડેમાં નંબર વન ટીમ બની જશે. ન્યુઝીલેન્ડ સામે હાલની સિરિઝની અગાઉની બે મેચમાં પણ ટીમ ઈન્ડીયાએ મોટો સ્કોર કર્યો હતો, ત્રીજી મેચમાં પણ એક મોટો સ્કોર બનાવશે.
વન-ડેમાં ભારત માટે સૌથી વધુ સદી
• સચિન તેંડુલકર - 463 મેચ, 49 સદી
• વિરાટ કોહલી - 268 મેચ, 46 સદી
• રોહિત શર્મા - 240 મેચ, 30 સદી