ભારતીય સેનાએ 14 હજાર ફૂટ ઊંચાઇ પર અરૂણાચલ પ્રદેશમાં ચીન વિરૂદ્ધ નવી યુદ્ધ રણનીતિનો અભ્યાસ કરી રહ્યું છે. અરૂણાચલ પ્રદેશમાં આ ભારતીય સેનાનું સૌથી મોટું પહાડી યુદ્ધાભ્યાસ છે, જેને 'હિમ વિજય' નામ આપવામાં આવ્યું છે. ભારતીય સેનાના આ યુદ્ધાભ્યાસથી ચીનની ઉંઘ ઉડી ગઇ છે અને તેમણે આનો વિરોધ કર્યો છે. પૂર્વોત્તર રાજ્યમાં ભારતીય સેનાની આ પ્રકારની પહેલી કવાયત છે. આ યુદ્ધાભ્યાસને ચીનને મુશ્કેલીમાં મુકી દીધું છે.
ભારતીય સેનાના પરાક્રમથી ચીનમાં ભય
14 હજાર ફૂટ ઊંચાઇ પર સેનાનો યુદ્વાભ્યાસ
શી જિનપિંગના ભારત પ્રવાસ પહેલા આ યુદ્ધાભ્યાસનો ચીને વિરોધ કર્યો
ભારતીય સેનાના આ યુદ્ધાભ્યાસ નિયંત્રણ રેખા (LC) થી 100 કિલોમીટર દૂર 14 હજાર ફૂટની ઊંચાઇ પર થઇ રહ્યું છે. આ યુદ્ધાભ્યાસ ત્રણ સમૂહોમાં કરવામાં આવી રહ્યું છે. પ્રત્યેક સમૂહમાં 4 હજાર સૈનિક સામેલ છે. 25 ઓક્ટોબરથી સમાપ્ત થઇ રહેલ આ યુદ્ધાભ્યાસ તવાંગની પાસે અરૂણાચલ પ્રદેશમાં કેટલાક તબક્કાઓમાં કરવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, ભારતીય સેનાનું આ યુદ્ધાભ્યાસ તે સમયે કરવામાં આવી રહ્યો છે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે બીજી અનૌપચારિક બેઠક માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાત લેવાના છે. બન્ને નેતાઓની આ બેઠક મહાબલીપુરમમાં થવાની સંભાવના છે.
યુદ્ધાભ્યાસનો શી જિનિપંગના પ્રવાસ સાથે કોઇ સંબંધ નથીઃ ભારત
અરૂણાચલ પ્રેદેશમાં સેનાના યુદ્ધાભ્યાસને લઇને ચીનની નારાજગી પર ભારતે જવાબ પણ આવ્યો છે. ભારતીય રક્ષા સૂત્રોએ શનિવારે કહ્યું કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના આગામી ભારત પ્રવાસ સાથે કોઇ સંબંધ નથી. પીએમ મોદી સાથે અનૌપચારિક વાતચીત માટે ભારત આવી રહેલ શી જિનપિંગના પ્રવાસ પહેલા આ યુદ્ધાભ્યાસનો ચીને વિરોધ કર્યો હતો. જેના પર ભારતીય પક્ષે કહ્યું કે હિમ વિજય યુદ્ધાભ્યાસનો શી જિનિપંગના પ્રવાસ સાથે કોઇ સંબંધ નથી.
શી જિનપિંગ આવશે ભારત
જણાવાય રહ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી ની યાત્રાને ધ્યાને રાખતા ભારત આવેલ ચીની ઉપ-વિદેશ મંત્રી લુઓ ઝાઓહુઇએ ગુરૂવારે વિદેશ સચિવ વિજય ગોખલે સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે વિજય ગોખલે સમક્ષ ભારતીય સેનાના યુદ્ધાભ્યાસ મામલો ઉઠાવ્યો. જોકે, હજુ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત યાત્રાની તારીખની જાહેરાત કરવામાં નથી આવી.
ચીને કાશ્મીર મુદ્દો UNમાં ઉઠાવ્યો હતો
જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ શી જિનપિંગ ભારત આવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બંધ બારણે યોજાયેલ બેઠકમાં કાશ્મીર મુદ્દે ચીને પોતાના મિત્ર પાકિસ્તાનની તરફેણ કરી હતી. જેને લઇને ભારત અને ચીન વચ્ચે મતભેદ જોવા મળ્યા છે. આ સિવાય ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ગત અઠવાડીયે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.