પાકિસ્તાનના પંજાબ પ્રાંતના દિપલપુરના રહેવાશી આતંકી અલી બાબરે સુરક્ષા દળોની પૂછપરછમાં જણાવ્યું કે તે પૈસાની લાલચમાં આવીને આતંકી સંગઠન લશ્કરમાં જોડાયો હતો. તેણે કહ્યું કે તે સાતમા ધોરણ સુધી ભણેલો છે ત્યાર બાદ અભ્યાસ છોડીને આતંકના માર્ગે ચાલી નીકળ્યો હતો અને લશ્કરમાં જોડાઈ ગયો હતો.
માતાની સારવાર માટે પૈસાની જરુર હતી
તેણે કહ્યું કે તેની માતાની સારવાર માટે 20000 ની હજાર હતી. પૈસાની તંગી હોવાથી તેઓ આતંકી સંગઠનમાં જોડાઈ ગયો હતો.
જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાય સમયથી આતંકીઓ ઘુસણખોરી કરી રહ્યા છે. જેના પરિણામે સેના પણ એકશન મોડમાં જોવા મળી રહી છે. થોડાક દિવસો પહેલાજ સેનાએ ઉરીમાં 3 આંતકીઓને ઠાર કર્યા હતા ત્યારે વધુંમાં ફરી સેનાને મોટી સફળતા મળી છે. ઉરીમાં મેરાથન ઓપરેશન દરમિયાન સેનાએ એક આંતકીને જીવતો પકડ્યો છે.
3 જવાનો ઘાયલ
સમગ્ર ઓપરેશનમાં એવી માહિતી સામે આવી છે કે સેનાએ એક આંતકીને ઠાર કર્યો છે. સાથેજ અન્ય એક આતંકીને સેનાએ જીવતો પકડ્યો છે. જેને આજે સેના દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવશે. જોકે આ ઓપરેશનમાં સેનાના 3 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
10 દિવસથી સેનાએ ઓપરેશન હાથ ધર્યું હતું
આપને જણાવી દઈએ કે ગત 18 સપ્ટેમ્બરથી સેનાએ આ ઓપરેશન હાથ ધર્યું હતું. અને છેલ્લા 10 દિવસથી સેના આ ઓપરેશન પર કામ કરી રહી હતી. LOC પાસે ઉરીમાં આતંકીઓએ ઘુસણખોરી કરી હતી જે માહિતી સેનાને મળ્યા બાદ સેનાએ ઓપરેશન હાથ ધર્યું જેમા અત્યાર સુધીમાં કુલ 4 આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે. સાથેજ એક આતંકીને આજે સેનાએ જીવતો પકડ્યો છે.