નાગાલેન્ડમાં નાગરિકો પર ફાયરિંગના મામલે પોલીસે ભારતીય સેનાના 21 પેરા વિશેષ દળોની વિરુદ્ધ FIR નોંધી છે.
પોલીસે ભારતીય સેનાના 21 પેરા વિશેષ દળોની વિરુદ્ધ એફઆઈઆર નોંધી
ઘટના સમયે કોઈ પોલીસ ગાઈડ નહોંતો
સેનાની ‘કોર્ટ ઓફ ઈન્કવાયરી’નો આદેશ અપાયો
પોલીસે ભારતીય સેનાના 21 પેરા વિશેષ દળોની વિરુદ્ધ એફઆઈઆર નોંધી
નાગાલેન્ડના મોન જિલ્લામાં સુરક્ષાદળો દ્વારા સામાન્ય નાગરિકો પર ફાયરિંગના મામલે પોલીસે ભારતીય સેનાના 21 પેરા વિશેષ દળોની વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. નાગાલેન્ડ પોલીસના આર્મી યુનિટની વિરુદ્ધ પોતાની પ્રાથમિક આરોપ લગાવ્યો છે કે સેના દળે આસામ સીમા પાસે નાગાલેન્ડના મોન જિલ્લાના ઓટિંગમાં અંધાધૂધ ફાયરિંગ કર્યુ. જેના પરિણામ સ્વરુપ 13 ગ્રામીણના મોત થાય. એફઆઈઆરમાં પોલીસે આરોપ લગાવ્યો છે કે સુરક્ષા દળોના ઈરાદો નાગરિકની હત્યા અને તેમને ઘાયલ કરવાનો હતો.
ઘટના સમયે કોઈ પોલીસ ગાઈડ નહોંતો
એક ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે તેમની પાસે એફઆઈઆરની કોપી છે. રાજ્ય પોલીસ દ્વારા રાખલ કરાયેલ FIRમાં કહેવામાં આવ્યું છે કે એ ધ્યાન આપવું જોઈએ કે ઘટના સમયે કોઈ પોલીસ ગાઈડ નહોંતો અને ન સુરક્ષા દળોએ ઉગ્રવાદીઓની વિરુદ્ધ ઓપરેશન માટે પોલીસ સ્ટેશન પાસેથી ગાઈડ પુરો પાડવાની માંગ કરી. એટલા માટે એ સ્પષ્ટ છે કે સુરક્ષા દળોનો ઈરાદો નાગરિકોની હત્યા કરવા અને તેમને ઘાયલ કરવાનો હતો.
શું થયું હતુ
ઉલ્લેખનીય છે કે ભારતના પૂર્વોત્તરનાં રાજ્ય નાગાલેંડમાં શનિવારે રાતે ફાયરિંગની ઘટનામાં અત્યાર સુધી 13 લોકોનાં મોત થયા છે. જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. પોલીસે રવિવારે જણાવ્યું કે શક્ય છે કે ગોળીબારની પહેલી ઘટના કદાચ ખોટી ઓળખનો મામલો હતો. આ બાદ થયેલી હિંસામાં એક સૈનિકનું મોત થયું છે. ફાયરિંગની પહેલી ઘટના ત્યારે બની જ્યારે શનિવારે સાંજે કેટલાક ખાણ કર્મી એક પીકએપ વેનમાં સવાર થઈ ગીતો ગાતા પાછા ફરી રહ્યા છે. સેનાના જવાનોને પ્રતિબંધિત સંગઠન એનએસસીએન- કે યુંગ ઓંગ જૂથના ઉગ્રવાદીઓની ગતિવિધીની સૂચના મળી હતી અને આ ભૂલમાં તે વિસ્તારમાં અભિયાન ચલાવી રહેલા સૈનિકોએ વાહન પર કથિત રુપથી ગોળીબાર કર્યો હતો જેમાં 6 મજૂરોના જીવ ગયા બતા.
સેના પર તુટ્યો ગ્રામિણોનો ગુસ્સો
નોંધનીય છે કે મોન જિલ્લાના ઓટિંગમાં તીરું ગામમાં હુમલાખોરોએ પિકઅપ ટ્રક પર અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતુ. સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર આ ઘટના શનિવારે સાંજે ચાર વાગ્યાની છે પર્ણતુ જ્યારે આ લોકો ઘરે પહોંચ્યા તર ત્યારે ગામમાંથી કેટલાક લોકો ત્યાં પહોંચ્યા હતા, લોકો ઘટના સ્થળે પહોંચ્યા તો લોહી લુહાણ હાલતમાં લોકોના શબ વિખરાયેલા પડ્યા હતા. ઘટનાનાં સમાચાર ફેલાયા બાદ આખા વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે અને કેટલીક ગાડીઓમાં આગચંપી કરવામાં આવી હોય તેવી ઘટનાઓ સામે આવી છે. લોકોએ સેનાના વાહનોને ઘેર્યા ત્યારે ધક્કા મુક્કીમાં એક સૈનિક માર્યો ગયો અને સૈન્ય દ્વારા આત્મરક્ષણમાં કરેલા ફાયરિંગથી વધુ 7 લોકોના મોત થયા. જેને કારણે હિંસા વધારે ભડકી. તેમજ અનેક લોકો ઘાયલ થયા. ત્યારે સુરક્ષાકર્મીઓની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી હતી. આના વીડિયો વાયરલ થતા. નાગાલેન્ડ સરકારે ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.
બીજી તરફ સેનાની કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપતા જણાવ્યું કે આ દરમિયાન એક સૈન્યકર્મીનું મોત થયું અને અનેક સૈનિકો ઘાયલ થયા. તેમણે કહ્યું કે આ ઘટના બાદ તે અત્યંત શરમજનક છે. તથા લોકોના મોત પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની ઉચ્ચત્તમ સ્તર પર તપાસ કરવામાં આવી રહી છે.