પાકિસ્તાન અવારનવાર સીઝફાયરના નિયમોનું ઉલ્લંઘન કરતું આવ્યું છે. જોકે ભારત પણ દરેક વખતે તેના પર પલટવાર કરે છે. તેમ છતા સ્થિતિમાં કોઇ બદલાવ દેખાઇ રહ્યો નથી. સોમવારે રાત્રે પાકિસ્તાનની તરફથી કાશ્મીરમાં કુપવાડાના તંગધાર સેક્ટરમાં ફરીથી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું.
ભારતીય સેનાએ એન્ટી ટૅન્ક ગાઇડેડ મિસાઇલ દ્વારા પાકિસ્તાનના ઠેકાણાઓને ઉડાવી દીધા
પાકિસ્તાન અવારનવાર સીઝફાયરના નિયમોનું ઉલ્લંઘન કરતું આવ્યું છે
તેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા એન્ટી ટૅન્ક ગાઇડેડ મિસાઇલ દ્વારા પાકિસ્તાનના ઠેકાણાઓને ઉડાવી દીધા.
એનઆઇએ એજન્સીએ હુમલાનો એક વીડિયો ટ્વિટ કર્યો છે. તેમા બતાવાયું છે કે ભારતે કુપવાડા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાનો જવાબ આપ્યો છે. જેમા કુપવાડા સેક્ટરની સામે પીઓકેમાં પાકિસ્તાની સેનાઓના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દિધા છે.
#WATCH Indian Army Sources: Army troops recently used anti-tank guided missiles & artillery shells to target Pakistan Army positions opposite the Kupwara sector. This was in response to frequent ceasefire violations by Pakistan to push infiltrators into Indian territory in J&K. pic.twitter.com/oHuglG0iQL
આ પહેલા ભારતીય સેનાએ હુમલાને લઇને કહ્યું હતું કે પાકિસ્તાને કોઇપણ કારણ વિના સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું અને પુંછના કિરની અને શાહપુરમાં નિયંત્રણ રેખા પર નાના હથિયારોથી ફાયરિંગ કર્યું, મોર્ટાર હુમલો કર્યો. ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપી રહી છે.
જમ્મૂ કાશ્મીરના કુપવાડાના તંગધાર સેક્ટરમાં સોમવારે રાત્રે પાકિસ્તાનની તરફથી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ફાયરિંગમાં એક નાગરિકનું મોત થઇ ગયું તથા અન્ય ચાર લોકો ઘાયલ થઇ ગયા. પાકિસ્તાને કાશ્મીરમાં એલઓસીની નજકી ભારતીય ચોકીઓ અને ગામો પર અંધાધુધ ફાયરિંગ કર્યું તથા મોર્ટાર હુમલો કર્યો.
પાકિસ્તાન દ્વારા 2 ફેબ્રુઆરીએ તંગધાર, ગુરેજ, બાલાકોટ અને મેન્ઢર સેક્ટરોમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. આ દરમિયાન ફાયરિંગમાં એક સૈનિક ઘાયલ થયો હતો.