ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. સેનાએ 3 ઘુસણખોરોને ઠાર માર્યા છે. પાકિસ્તાન આર્મી આ આતંકીઓ ભારતની સીમમાં ઘૂસણખોરી કરાવવા ઇચ્છતી હતી.
ભારતીય સેનાએ 3 ઘૂસણખોરોને કર્યા ઠાર
પાકિસ્તાની આર્મી છેલ્લા કેટલાય સમયથી ઘૂસણખોરી કરાવવામાં લાગી છે
ભારતીય સેના સતત તેને રોકવામાં સફળ રહી છે
છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાની સૈન્ય ભારતીય સરહદમાં ઘુસણખોરી કરાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ માટે પાકિસ્તાન સૈન્ય ઘણા દિવસોથી નૌશેરા, પૂંછ અને હિરાનગર સહિતના ઘણા ક્ષેત્રોમાં ફાયરિંગ કરી રહ્યું છે. ગત રાતથી મેંઢર અને નૌશેરા સેકટરમાં પાકિસ્તાની સૈન્ય તરફ ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતુ. મોર્ટાર પણ લાદવામાં આવા હતા. જેના કારણે સરહદ નજીક રહેતા લોકોને પણ નુકસાન પહોંચ્યું છે. પરંતુ હજી પણ ભારતીય સેનાએ પાકિસ્તાનની ઘૂષણખોરીને નિષ્ફળ બનાવી હતી. પાકિસ્તાની ઘુસણખોરો ભારતીય સીમામાં પ્રવેશ કરી શક્યા ન હતા.
સુરક્ષા દળોનું કહેવું છે કે જ્યાં સુધી અમે ઘુસણખોરની ડેડબોડીઝને રિકવર ન કરી લઈએ ત્યાં સુધી કેટલા ઘુસણખોરો માર્યા ગયા છે તે કહેવું મુશ્કેલ છે. તેમની સંખ્યા 3 થી વધુ હોઈ શકે છે.