જમ્મૂ-કશ્મીરના શોપિયામાં સુરક્ષાબળે આતંકીઓ વિરૂદ્ધ અભિયાન હાથ ધર્યુ છે. સુરક્ષાબળે શોપિયાના તર્કવાનગમમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. સુરક્ષાબળને રિપોર્ટ મળ્યો છે કે, કેટલાક આતંકીઓ તર્કવાનગમમાં છૂપાયા છે.
જમ્મૂ-કશ્મીરના શોપિયામાં સુરક્ષાબળે આતંકીઓ વિરૂદ્ધ અભિયાન હાથ ધર્યુ છે. સુરક્ષાબળે શોપિયાના તર્કવાનગમમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. સુરક્ષાબળને રિપોર્ટ મળ્યો છે કે, કેટલાક આતંકીઓ તર્કવાનગમમાં છૂપાયા છે. જે બાદ આતંકીઓને શોધીને તેમનો ખાતમો બોલાવવા માટે સુરક્ષાબળે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આતંકીઓ રહેણાંક વિસ્તારમાં મકાનમાં છૂપાયા છે. જેથી સુરક્ષાબળ પણ સ્થાનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરી રહી છે.
બે દિવસ અગાઉ સેનાએ ત્રાલમાં 3 આતંકીઓને કર્યા હતા ઠાર
જમ્મૂ-કશ્મીરના ત્રાલમાં સુરક્ષાબળના જવાનો પર આતંકીઓએ ફાયરિંગ કરતા સુરક્ષાબળના જવાનોએ પણ જવાબી કાર્યવાહી હાથ ધરી અને આતંકીઓનો ખાતમો બોલાવવા માટે અભિયાન હાથ ધર્યુ હતું. જેમાં સુરક્ષાબળના જવાનોને ત્રણ આતંકીઓને ઠાર મારવામાં સફળતા મળી હતી. સુરક્ષાબળને જૈશ-એ-મોહમ્મદના ત્રણેય આતંકીઓને ઠાર મારવામાં સફળતા મળી હતી. તો અથડામણ બાદ સુરક્ષાબળના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે.