સેના તરફથી જણાવવામાં આવ્યું કે, પાકિસ્તાની સેના સતત કશ્મીરમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે. અનેક વાર સર્ચ ઓપરેશન દરમ્યાન બારૂદી સુરંગો વિશે પણ ખ્યાલ આવ્યો કે તેના તમામ પ્રયાસ નિષ્ફળ કરી દેવામાં આવ્યાં.
ન્યૂ દિલ્હીઃ પાકિસ્તાન (pakistan) તરફથી સીઝફાયર (ceasefire) નું ઉલ્લંઘન કરવાની ઘટનાઓ વચ્ચે સેનાએ કહ્યું કે, LoC પર સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. સેના તરફથી જણાવવામાં આવ્યું કે, પાકિસ્તાની સેના સતત કશ્મીરમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે. અનેક વાર સર્ચ ઓપરેશન દરમ્યાન બારૂદી સુરંગો વિશે પણ ખ્યાલ આવ્યો કે તેના તમામ પ્રયાસ નિષ્ફળ કરી દેવામાં આવ્યાં. સેનાના અધિકારીએ કહ્યું કે, કશ્મીરમાં ઘાટીમાં સ્થિતિ સુધરી છે અને આતંકીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. તેઓએ જણાવ્યું કે, અમરનાથ યાત્રીઓ પર સ્નિપર રાઇફલ એટેકની કોશિશ કરવામાં આવી પરંતુ સુરક્ષાદળોએ આવા તમામ પ્રયાસોને નિષ્ફળ કરી દીધાં. જો કે તેઓ હુમલાની યોજના બનાવી રહ્યાં છે કે જેમાં પાકિસ્તાની સેના પણ શામેલ છે.
Chinar Corps Commander Lt General K J S Dhillon in Srinagar: An M-24 American sniper rifle with a telescope was also recovered from a terror cache along Shri Amarnath ji route pic.twitter.com/VLmkmN8iAd
લેફ્ટિનેંટ જનરલ કેજેએસ ઢિલ્લને કહ્યું કે, 'મારી તમામ માતાઓ અને બહેનોને ભલામણ છે કે ધ્યાન આપો કે આપનું બાળક જો 500 રૂપિયા લઇને જો પથ્થર ફેંકે છે તો તે આવતી કાલનો આતંકી છે. પકડવામાં આવેલ અથવા તો મારવામાં આવેલ આતંકીઓમાંથી 83 ટકા આવા જ છે.' તેઓએ કહ્યું કે, અમરનાથના રસ્તામાં દૂરબીન સાથે સ્નિપર રાઇફલ પણ જપ્ત કરવામાં આવી.
#WATCH Jammu and Kashmir: Joint press conference by Chinar Corps Commander Lt General K J S Dhillon and J&K DGP Dilbag Singh in Srinagar https://t.co/wFCu9BaxN6
ત્યાર બાદ જમ્મુ અને કશ્મીરના ડીજીપી દિલબાદ સિંહે કહ્યું કે, 'આતંકી જમ્મુ કશ્મીરમાં ઘુસણખોરીની કોશિશ કરતા રહ્યાં છે પરંતુ અમારા સુરક્ષાદળોએ તેને નિષ્ફળ કરી દીધાં. અમે ઇચ્છીએ છીએ કે કશ્મીરના યુવા અમારી સહાયતા કરે અને આતંકવાદીઓની મદદ ન કરે અને તેમના માં બાપ પણ તેને સાચી દિશા આપે. જે લોકો મિલિટેટ્સની સાથે મળી ગયા છે તે પણ પોતાના પરિવારની પાસે પરત ફર્યા.'
બાદમાં આઇજી કશ્મીરે કહ્યું કે, આઇઇડી બ્લાસ્ટથી સાવધાન રહેવાની જરૂરિયાત છે અને અનેક પાકિસ્તાની મૉડ્યૂલ આવી હરકતો કરે છે. તાજેતરમાં જ પુલવામા અને શોપિયાંમાં 10 જગ્યાઓ પર આવી કોશિશ કરવામાં આવી. આ મામલામાં 7 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં જૈશના આતંકવાદી પણ શામેલ હતાં. તેઓએ કહ્યું કે, પહેલા બ્લાસ્ટ કરનારા બે મિલિટેંટ્સની ધરપકડ કરવામાં આવી છે.