કહેવાય છે કે 'સોલ્જર ઈઝ અ સોલ્જર ફર્સ્ટ', ભારતીય સેનાએ આજે તે સાબિત કરી બતાવ્યું છે. ભારતીય સેનાના આ વલણના દેશભરમાં વખાણ થઇ રહ્યા છે.
48 વર્ષ પહેલા થઇ હતી આ પાકિસ્તાની સૈનિકની મોત
ભારતીય સેનાએ સૈનિકના કબરની મરમ્મત કરાવી
મોત બાદ કોઈ પણ દેશનો સૈનિક આદર અને સન્માનનો હકદાર : ભારતીય સેના
ભારત પાકિસ્તાન બોર્ડર રેખા પાસે એક સૈન્ય કાર્યવાહીમાં આ સૈનિકની મોત થઇ હતી જેને પાકિસ્તાન લઈને પણ ન ગયું, આ વાતને 48 વર્ષે વીતી ગયા છે પણ ભારતીય સેના પોતાના વિશ્વાસ પર અડગ છે અને પાકિસ્તાની સૈનિકને ખાસ સન્માન આપ્યું છે.
In keeping with the traditions & ethos of the #IndianArmy, #ChinarCorps resuscitated a damaged grave of Major Mohd Shabir Khan, Sitara-e-Jurrat, Pakistan Army, who was Killed in Action (KIA) at a forward location along LC in Naugam Sector on 05 May 1972.#Kashmir@adgpipic.twitter.com/EjbFQSn9Iq
ભારતીય સેનાની દુનિયા સૌથી વધુ પ્રોફેશનલ ફોર્સ તરીકે જોવામાં આવે છે અને આ વાતને પૂરવાર કરતી એક ઘટના સામે આવી રહી છે. જેમાં ભારતીય સેનાએ દર્શાવી દીધું કે ભારતીય સેના દુશમન દેશના શહીદનું પણ સન્માન કરે છે. ભારતીય સેનાએ આ કામથી વિશ્વભરને એક સંદેશ પાઠવ્યો છે.
ભારતીય સેનાએ ગુરુવારે જણાવ્યું કે જમ્મૂ કાશ્મીરના નૌગામ સેક્ટરમાં સ્થિત એક પાકિસ્તાની સૈનિક અધિકારીની કબરની મરમ્મત કરી. આર્મીએ કહ્યું કે એક શહીદ સૈનિક, પછી તે ગમે તે દેશનો હોય, મોત બાદ સન્માનનો હકદાર છે. શ્રીનગરની ચિનાર કોર્પ્સે ઠીક થયેલી કબરની તસવીરો સોશ્યલ મીડિયામાં શેર કરી છે.
ચિનાર કમાને કબરની તસવીર શેર કરીને લખ્યું કે સિતાર-એ-જુર્રત મેજર મોહમ્મદ શબીર ખાનની યાદમાં, જેમની મોત પાંચ મે 1972ના રોજ થઇ હતી.
સેનાએ કહ્યું કે શહીદ સૈનિક ગમે તે દેશનો હોય, મોત બાદ તેનું સન્માન અને આદરનો હકદાર છે અને ભારતીય સેના આ જ વિશ્વાસ સાથે ઉભી છે. આ ભારતીય સેનાનો દુનિયાને સંદેશ છે.