સંરક્ષણ મંત્રાલયે પોતાના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે, લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC)પર એક કરતા વધુ વિસ્તારમાં સ્થિતિમાં યથાવત ફેરફાર કરવા માટે ચીની સેનાની "એકપક્ષી અને ભડકાઉ કાર્યવાહી" નો "મજબૂત" રીતે જવાબ આપ્યો હતો.
ભારતના ડ્રેગન પર પ્રહાર
ચીનના કારણે LAC પર બગડી સ્થિતિ
ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સૈનિક ચીની સેનાના કોઈપણ 'હિંમતવાન'નો જવાબ આપવા માટે ઉત્સાહિત છે અને ભારતીય સૈન્ય કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ માટે તૈયાર છે અને મૈત્રીપૂર્ણ રીતે આ મુદ્દાને હલ કરવા વાટાઘાટો આગળ વધી રહી છે. છે. ગલવાન ખીણનમાં થયેલ અથડામણનો ઉલ્લેખ કરતા સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ચીન તરફી પણ "ઘણી જાનહાની થઈ".
ચીની કાર્યવાહીનો અપાયો જડબાતોડ જવાબ
ગલવાન ઘાટીમાં 15 જૂનના રોજ બંન્ને દેશોની સેનાઓ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં 20 ભારતીય જવાનો શહીદ થયાં હતા. સંરક્ષણ મંત્રાલયે કહ્યું LAC પર એકથી વધુ વિસ્તારોમાં સ્થિતિ બળપૂર્વક બદલવાની ચીનીઓની એક તરફી ભડકાઉપૂર્ણ કાર્યવાહીનો મજબૂતરીત જવાબ આપવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે સીમા વિવાદ
છેલ્લા કેટલાક સમયગાળાથી ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ખાસ કરીને લદ્દાખની ગલવાન ખાડીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ આ વિવાદ વધુ ઘેરો બન્યો છે અને સીમા મામલે બંન્ને રાષ્ટ્રો એકબીજાની સામે આવીને ઉભા રહી ગયા છે ત્યારે ચીનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.
જીનપિંગે સૈન્યને આપ્યા છે આદેશ
ઉલ્લેખનીય છે કે, ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગે સૈન્યને કોઇપણ ક્ષણે યુદ્ધ માટે તૈયાર રહેવાના આદેશ આપ્યા છે. એટલું જ નહીં સશસ્ત્ર દળોને પણ વાસ્તવિક જંગની સ્થિતિઓનો અભ્યાસ કરવાનો પણ આદેશ આપ્યો છે. જણાવી દઇએ કે, લદ્દાખમાં થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો અને 40 ચીની સૈનિકો માર્યા ગયા હતા.
કોઇપણ સમયે યુદ્ધ માટે તૈયાર રહેવાના આપ્યા આદેશ
સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા પ્રમાણે 2021માં કેન્દ્રીય સૈન્ય આયોગના ચેરમેનની રીતે પોતાના પહેલા આદેશમાં જીનપિંગે પીપલ્સ લિબરેશન આર્મીનો કોઇપણ સમયે યુદ્ધ માટે તૈયાર રહેવા જણાવાયું છે. સાથે જ વાસ્તવિક લડાઇની સ્થિતિનું નિર્માણ કરીને પ્રશિક્ષણ લેવાની પણ વાત કરી છે જેથી કોઇપણ સ્થિતિમાં જંગ જીતી શકાય.