ભારતીય સેનાએ આજે બુધવારે સૌથી મોટું ઑપરેશન પાર પાડતાં પાકિસ્તાનથી આવેલા 2 આતંકવાદીઓને જીવતાં ઝડપી પાડ્યાં હતાં. સેનાએ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને બંને આતંકવાદીઓનો વીડિયો પણ બહાર પાડ્યો હતો જેમાં તેમણે ઘૂસણખોરીની કબૂલાત કરી છે.
ચિનાર સેનાના કમાન્ડર લેફ્ટન્ટ જનરલ KJS ધિલ્લોન અને જમ્મુ-કાશ્મીર પોલીસના ADG મુનિર ખાને બુધાવરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમ્યાન બંને અધિકારીઓએ કહ્યું હતું કે આ આંતકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં અને ખાસ કરીને શ્રીનગરમાં આતંક મચાવવા આવ્યાં હતાં.
સેનાએ કહ્યું હતું કે પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓ ઘૂસાડવાનું કામ કરી રહ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં આર્મીએ જણાવ્યું હતું કે આ બંને આતંકવાદીઓ લશ્કર એ તૈયબાના છે અને તેમની પાસે ભારતમાં હિંસા ફેલાવવાની વાતની કબૂલાત કરાવી છે.