અત્યારે આખો દેશ દિવાળી ઉજવી રહ્યો છે ત્યારે સરહદ પર દેશના વીર જવાનો દેશની રક્ષા કાજે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપી રહ્યા છે. આજે આવા જ પાંચ વીર સપૂતોને કાશ્મીરમાં સલામી આપવામાં આવી.
પાકિસ્તાન સામે દેશની રક્ષા કરતા કરતા શહીદ થયા પાંચ જવાનો
શુક્રવારથી જ પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહ્યું છે સીઝફાયર ઉલ્લંઘન
પાકિસ્તાન સામે લડતા લડતા શહીદ થયેલ ભારતના વીર જવાનોને સેના દ્વારા આજે સલામી આપવામાં આવી. ભારતનાં વીર સિપોય જે ઋષિકેશ રામચંદ્ર, નાઈક એસબી રમેશરાઓ, હવાલદાર હર્ધન ચંદ્ર રોય અને ગનર સુબોધ ઘોષ સીઝફાયર ભંગના કારણે શહીદ થયા હતા.
Srinagar: Indian Army pays tribute to Havildar Hardhan Chandra Roy, Naik Satai Bhushan Rameshrao, Gunner Subodh Ghosh & Sepoy Jondhale Rushikesh Ramchandra, who lost their lives during ceasefire violation by Pakistan in Gurez and Uri Sector in Jammu and Kashmir on 13th November pic.twitter.com/Vyy5HEY6cu
આજે ભારતના આ વીર સપૂતોને બદામી બાઘ કેન્ટોન્મેન્ટમાં શ્રદ્ધાંજલિ અને સલામી આપવામાં આવી. આ પહેલા BSFનાં સબ ઇન્સ્પેકટર રાકેશ ડોભાલને પણ શ્રીનગરમાં અંતિમ સલામી આપવામાં આવી હતી જે સીઝફાયરમાં શહીદ થયા છે.
અહેવાલો અનુસાર સરહદ પર ભારે ગોળીબારના કારણે ભારતના વીર જવાનોને ઘણી બધી જગ્યાઓ પર ઈજાઓ પહોંચી હતી, કાશ્મીરના અનેક વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી આ પ્રકારથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. બહાદુર જવાનોને તાત્કાલિક મેડિકલ સુવિધા આપવા પ્રયત્ન કરવામાં આવ્યા છતાં ઈજાઓના કારણે દિવાળી જેવા તહેવારમાં ભારત માતાએ પોતાના વીર જવાનો ગુમાવ્યા.
Jammu and Kashmir: Wreath laying ceremony of BSF Sub-Inspector Rakesh Dobhal who lost his life in ceasefire violation by Pakistan in Baramulla district on 13th November, held at Srinagar today. pic.twitter.com/zMoDEl7E3s
વીર જવાનોના પાર્થિવ દેહને વતન મોકલવામાં આવી રહ્યા છે જ્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. ભારતીય સેનાએ કહ્યું કે દુઃખના આ સમયમાં સેના શોકસંતપ્ત પરિવારો સાથે દ્રઢતાથી ઉભી છે અને તેમની ગરિમા માટે કટિબદ્ધ છે.
નોંધનીય છે કે શુક્રવારે પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને ઉરી-નૌગામ જેવા સેક્ટરમાં સ્થાનિકોને નિશાને લેવામાં આવ્યા હતા. ભારતની વીર સેનાએ પણ પાકિસ્તાનની આ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપ્યો જેમાં 11 જેટલા પાકિસ્તાની સૈનિકોના ઢીમ ઢાળી દીધા.
પાકિસ્તાની હુમલામાં ભારતીય આર્મીના 4 અને BSFના 1 જવાને સર્વોચ્ચ બલિદાન આપ્યું.