જમ્મુ કાશ્મીરમાં આવેલ રાજૌરીના જંગલોમાં સેના દ્વારા 6 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે અને હજું સર્ચ ઓપરેશન યથાવત છે. મૃત આતંકીઓ લશ્કર-એ-તૈયબાના હોવાનું સામે આવ્યું છે.
કાશ્મીરમાં ભારતીય સેનાએ 6 આતંકીઓને કર્યા ઠાર
રાજૌરીના જંગલમાં 6 આતંકીઓનું એન્કાઉન્ટર
બધાજ આતંકીઓ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા
કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી પરિસ્થિતી સૌથી ખરાબ થઈ છે. આતંકીઓ હવે અહીયા સામાન્ય નાગરીકોને ટાર્ગેટ કરી રહ્યા છે. જેથી સેના દપણ હવે તો અહીયા એકશન મોડમાં આવી ગઈ છે અને સેના દ્વારા હવે આતંકીઓને શોધી શોધીને ઠાર કરવામાં આવી રહ્યા છે.
સર્ચ ઓપરેશન યથાવત
આજે મંગળવારે રાજૌરીના જંગલોમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા છ આતંકવાદીઓના ઢીમ ઢાળી દેવામાં આવ્યા છે. જોકે હજુ સેનાનું ઓપરેશન ચાલુ છે અને સેના અને આતંકીઓ વચ્ચે મૂઠભેડનાં બનાવો બની રહ્યા છે. સેનનાં 16 કોર્પસ નાં જવાનો હાલ તો 3 થી ચાર મોરચે આતંકવાદીઓ સાથે લડી રહ્યા છે.
પૂંછમાં જવાનો થયા હતા શહિદ
રાજૌરી પૂંછમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં સૈનિકોની શહીદી બાદ 16 ઓક્ટોબરે સીડીએસ જનરલ બિપિન રાવત પણ મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે લોકલ કમાંડર્સની મુલાકાત લીધી હતી અને આતંકીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશન્સની જાણકારી પણ મેળવી હતી.
લોકોના મનમાં ભયનો માહોલ
ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં આતંકીઓની ગતિવીધીઓ છેલ્લા 1 મહિનાથી વધી ગઈ છે. 3 દિવસ અગાઉ આતંકીઓએ 2 પ્રવાસી મજૂરોને પણ માર્યા હતા. જેના કારણે હવે મજૂરો અહીયાથી પલાયન કરી રહ્યા છે. લોકોના મનમાં અહીયા ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સાથેજ પર્યટકોની સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.