પાકિસ્તાન દ્વારા હાજીપીર સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવું ભારે પડ્યું છે. ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાનના બે જવાનને ઠાર માર્યાં છે. પાકિસ્તાને કરેલા યુદ્ધ વિરામના ભંગનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.
ભારતીય સેનાએ પાકિસ્તાનના બે જવાનને માર્યા ઠાર
પાકિસ્તાની સેનાએ જવાનો ઠાર મરાયાનો કર્યો ઇન્કાર
ભારતીય સેનાએ સીઝફાયર ઉલ્લંઘનનો આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાન દ્વારા સરહદ પર વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવે છે. આજે ફરી પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપી બે પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા છે.
જો કે બીજી તરફ પાકિસ્તાની સેનાએ પોતાના જવાનો ઠાર મરાયાનો ઇન્કાર કર્યો છે. જો કે હાલમાં સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પાકિસ્તાનના સૈનિકો સફેદ ધ્વજ લઇને મૃતદેહ લઇ જઇ રહ્યાં છે. વીડિયોમાં દેખાઇ રહ્યાં મુજબ તેઓ સફેદ ધ્વજ લઇને જવાનોના મૃતદેહ લઇ જતાં જોવા મળી રહ્યાં છે.
#WATCH Hajipur Sector: Indian Army killed two Pakistani soldiers in retaliation to unprovoked ceasefire violation by Pakistan. Pakistani soldiers retrieved the bodies of their killed personnel after showing white flag. (10.9.19/11.9.19) pic.twitter.com/1AOnGalNkO
પાકિસ્તાનની સેનાએ હાજીપીર સેકટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ દરમિયાન પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું હતું. જેને લઇને ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરતાં પાકિસ્તાનના બે જવાન ઠાર માર્યા હતા. ભારતીય સેનાએ કરેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનની સેના સફેદ ધ્વજ બતાવી પોતાના ઠાર મરાયેલા જવાનોના મૃતદેહ લઇ જઇ રહ્યાં હોય તેવો વીડિયો સામે આવ્યો છે.