જમ્મૂ-કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં રવિવારે પાકિસ્તાની આતંકીઓની ઘૂસણખોરીના એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવતાં 5 આતંકીઓને ઠાર માર્યા છે. કુપવાડાના કેરન સેકટમાં પાકિસ્તાનની તરફથી ઘૂસણખોરી કરનારા આ આતંકીઓને સરહદની પાસે ઠાર કર્યા છે. આ કાર્યવાહીમાં ભારતીય સેનાના એક જવાન શહીદ થયા છે જ્યારે બે અન્ય ઇજાગ્રસ્ત થયા છે. જો કે હાલ ભારે હિમવર્ષાના કારણે આ વિસ્તારમાં ફસાયેલા સેનાના જવાનોનું રેસ્કયું કરાઇ શકાયું નથી.
કોરોનાના સંકટ વચ્ચે ભારતીય સેના સરહદ પર ચુસ્ત
ભારતીય સેનાને કેરન સેક્ટરમાં મોટી સફળતા
છેલ્લા 24 કલાકમાં સેનાએ 9 આતંકીઓ કર્યા ઠાર
એક પ્રાપ્ત મળતી વિગત અનુસાર ઉત્તરી કાશ્મીરના કુપવાડામાં આતંકીઓની સાથે અથડામણમાં સેનાના એક જવાન શહીદ થયા છે, જ્યારે અન્ય બે જવાનો ઇજાગ્રસ્ત થયા છે. ભારતીય સેનાએ 5 આતંકીઓને ઠાર માર્યા છે. જે સરહદ પર ઘૂસણખોરી કરી રહ્યાં હતા. સેનાએ છેલ્લા 24 કલાકમાં કાશ્મીરમાં 9 આતંકીઓને ઠાર માર્યા છે. જેમાં શનિવારના રોજ કુલગામમાં 4 આતંકીઓ ઠાર મરાયાં હતા.
સેના દ્વારા આતંકીઓ વિરુદ્ધ શરૂ કરાયેલા આ ઓપરેશનમાં 4 પેરા સ્પેશિયલ ફોર્સ, 41 આરઆર, 57 આરઆર, 8 જાટ અને એસઓજી કુપવાડાની સંયુક્ત ટીમએ કાર્યવાહી કરી.
આમ કોરોનાના સંકટ વચ્ચે ભારતીય સેના સરહદ પર ચૂસ્ત છે. ભારતીય સેનાએ કેરન સેક્ટરમાં મોટી સફળતા મેળવી છે. છેલ્લા 24 કલાકમાં સેનાએ 9 આતંકીઓને ઠાર કર્યા છે. ભારે હિમવર્ષા અને રફ ભૂપ્રદેશની પરિસ્થિતિમાં ઓપરેશન હાથ ધરી કૂપવાડામાં 5 અને કૂલગામ 4 આતંકીઓને ઢેર કર્યાં છે. ત્યારે આતંકીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ થયા છે.