કાશ્મીરમાં મોદી સરકાર દ્વારા આર્ટિકલ 370 હટાવવા પર પાકિસ્તાનની છંછેડાયું છે. પાકિસ્તાને જમ્મૂ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ રાજૌરી સેક્ટરમાં પાક સેનાની એક ચોકી ધ્વસ્ત કરી છે.
સેના સાથે જોડાયેલા સૂત્રો અનુસાર પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યા બાદ ભારતે જવાબી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ભારતીય સેનાએ રાજૌરીમાં પાકિસ્તાનની એક ચોકી ધ્વસ્ત કરી નાંખી હતી. જોકે, નૌશેરામાં આજે સવારે પાકિસ્તાની ફાયરિંગમાં એક ભારતીય જવાન શહીદ થયા હતા.
પાકિસ્તાન સતત ભારત માટે સમસ્યાઓ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાને જમ્મૂ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાની સેનાએ શનિવારે સવારે સાડા છ વાગ્યે નિયંત્રણ રેખા પર ગોળીબારી કરી અને મોર્ટાર હુમલો કર્યો. જેનો ભારતીય સેનાએ કડક જવાબ આપ્યો હતો. જોકે, આ ઘટનામાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થઇ ગયો.
શહીદ થયેલ જવાન લાન્સ નાયક સંદીપ થાપા 35 વર્ષના હતા અને ગત 15 વર્ષથી નોકરી કરી રહ્યા હતા. દેહરાદૂન રહેતા સંદીપ પાકિસ્તાની ગોળીબારમાં ગંભીર રૂપે ઘાયલ થઇ ગયા હતા.
સીઝફાયરનું ઉલ્લંઘન વધ્યું
ગત કેટલાય દિવસોથી પાકિસ્તાની સેનાએ સીઝફાયરનું ઉલ્લંઘન વધારી દીધું છે. 15 ઓગસ્ટના દિવસે જમ્મૂ કાશ્મીરના પૂંછમાં કેજી સેક્ટરમાં પાકિસ્તાને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. આ ઉપરાંત ઉરી અને રાજૌરીમાં પણ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરાયું હતું. જેમા ત્રણ પાકિસ્તાની જવાન માર્યા ગયા. આ પહેલા પણ સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે.