વડગામના મેમદપુરા ગામના આર્મી જવાન શહીદ થયા છે. જવાન જશવંતસિંહ રાઠોડ ફરજ દરમિયાન શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરના પીંછવાડામાં ભેખડ ધસી પડતા આર્મી જવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર ગામના બીએસએફ રિટાયર્ડ જવાનજી રાઠોડ જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થયા છે. બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં યુવાનો આર્મી અને BSF સહિત સેનામાં ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર ગામના જશવંતસિંહ રાઠોડ વર્ષ 2011માં બેંગ્લોર ત્યારબાદ નોર્થ ઇસ્ટમાં ત્રણ વર્ષ ફરજ બજાવી. ત્યારબાદ જોધપુરમાં ત્રણ વર્ષ અને છેલ્લા અઢી વર્ષથી જમ્મુ કાશ્મીરના 17 રાષ્ટ્રીય રાઇફલ પીંછવાડામાં આર્મીમાં ફરજ બજાવતાં હતા.
મહત્વનું છે કે, ગઈકાલે જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા છે. જ્યારે બે નાગરિકોના મોત થયા છે. સોપોરમાં અરમાપોરામાં આતંકીઓ દ્વારા પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો હતો જેમાં 4 લોકોના મોત થયા છે. ઉત્તરી કાશ્મીરના સોપોરમાં અરમાપોરાની પાસે આજે આતંકીઓની સુરક્ષા દળોની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો હતો જેમાં 4 લોકોના મોતની ખબર છે. તેમાં બે સામાન્ય નાગરીકોના મોત થાય છે. જ્યારે 2 પોલીસકર્મી શહીદ થયા છે.
ડીજીપી દિલબાગ સિંહે સોપોર હુમાલા વિષે જણાવતા કહ્યું કે, હુમલામાં 4 લોકોનો મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં 2 પોલીસકર્મી શહીદ થયા છે તો 2 અન્ય નાગરિકો જેના મોત થયા છે તે શાકભાજી વેચી રહ્યા હતા. હુમલામાં 3 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
હુમલા પાછળ કોનો હાથ?
દિલબાગ સિંહે આ હુમાલાની પાછળ લશ્કરનો હાથ હોવાનું કહ્યું છે. હાલ આઈજી કાશ્મીર ઘટનાસ્થળ પર પહોંચી રહ્યા છે. આ આતંકી હુમલામાં 3 પોલીસકર્મીઓ ઉપરાંત એક નાગરિક પણ ઘાયલ થયો છે. આ પ્રકારે હુમલામાં 4 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકીઓએ સુરક્ષા દળોની સંયુક્ત ટીમ પર અચાનક ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આતંકીઓએ હુમલા બાદ આખા વિસ્તારને ઘેરી લીધો હતો. હાલ આતંકીઓની તલાસ માટે ઓપરેશન હાથ ઘરવામાં આવ્યું છે.