1999 માં કારગિલ ખાતે ઘુસી આવેલા પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાંએ ધૂળ ચાટતાં કરી મૂક્યા હતા. આ ઘટનાને આજે 22 વર્ષ પૂરા થયા હતા. જુઓ સેના દ્વારા અપાયેલી વિશેષ શ્રદ્ધાંજલિનો વિડીયો.
આજે કારગિલ વિજયનાં 22 વર્ષ પૂરાં થયાં. આ ઐતિહાસિક વિજયનાં અવસર પર ભારતીય સેનાં દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. આ માટે ભારતીય સેનાએ કશ્મીરથી લેહ સુધીના પર્વતો વચ્ચેથી એક હજાર કિલોમીટર લાંબી બાઇક રેલી કાઢી હતી. આ રેલી શહીદોને શ્રધ્ધાંજલિ આપવા માટે દ્રાસમાં બનાવેલ ઐતિહાસિક કારગિલ યુદ્ધ સ્મારક પર પૂરી થઈ હતી.
રેલીમાં કારગિલ યુદ્ધમાં સામેલ એવા એક સૈનિક લેફ્ટનન્ટ જનરલ વાય. કે. જોશી પણ સામેલ હતા. જે વિડિયોમાં ટીમના જવાનોને પૂછતાં દેખાય છે, 'હાઉ ઈઝ ધ જોશ?' અને જવાબમાં જવાનો ઉત્તર આપી રહ્યા છે,'હાઇ સર'.
— A. Bharat Bhushan Babu (@SpokespersonMoD) July 25, 2021
આ વિડીયો જોઈને કોઈ પણ ભારતીયને દેશ માટે શહીદ થયેલા જવાનો માટે માં થઈ આવે. દેશના તમામ નેતાઓએ આ પ્રસંગે શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી અને તેમના બલિદાનને યાદ કર્યા હતા.