ભારતીય સેનાનાં સૂત્રોએ જણાવ્યું કે, સેનાની આપાતકાલીન ખરીદ પ્રક્રિયા અંતર્ગત અમેરિકાથી એક્સકૈબિલર એમ્યનિશન ખરીદવામાં આવી રહેલ છે. આ જીપીએસ નેવિગેશન સિસ્ટમ અને સેટેલાઇટ સિગ્નલ્સની મદદથી પોતાનાં ટાર્ગેટને મોકલવામાં સક્ષમ છે. આ 155 એમએમ આર્ટિલરી ગોળો એટલે કે એક્સકૈબિલર એમ્યુનિશન 60 કિ.મીનાં અંતરમાં લક્ષ્યને પહોંચાડવા અને ભેદવામાં સક્ષમ છે.
પાકિસ્તાન (pakistan) સતત સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન અને ગોળાબારી કરતુ હોય છે. ત્યારે હવે ભારતીય સેના (indian army) એ પાકિસ્તાનને પાઠ ભણાવવા અને તેને જડબાતોડ જવાબ આપવા માટે ખતરનાક ગોળો એટલે કે એક્સકૈલિબર એમ્યુનિશન (excalibur ammunition) ખરીદી રહેલ છે. આ એક્સકૈબિલર ગાઇડેડ એમ્યુનિશન સિસ્ટમ છે. આ સટીક નિશાન લગાવવા અને દુશ્મનને તબાહ કરવામાં સક્ષમ છે. એક્સકૈબિલક એમ્યુનિશનને પાકિસ્તાન સાથે નજીકની સીમા પર તૈનાત સેનાની આર્ટિલરી યૂનિટો માટે ખરીદવામાં આવી રહેલ છે.
ભારતીય સેનાનાં સૂત્રોએ જણાવ્યું કે, સેનાની આપાતકાલીન ખરીદ પ્રક્રિયા અંતર્ગત અમેરિકા (america) પાસેથી એક્સકૈબિલર એમ્યનિશન ખરીદવામાં આવી રહેલ છે. આ જીપીએસ નેવિગેશન સિસ્ટમ અને સેટેલાઇટ સિગ્નલ્સની મદદથી પોતાનાં ટાર્ગેટને મોકલવામાં સક્ષમ છે. આ 155 એમએમ આર્ટિલરી ગોળો એટલે કે એક્સકૈબિલર એમ્યુનિશન 60 કિ.મીનાં અંતરમાં લક્ષ્યને પહોંચાડવા અને ભેદવામાં સક્ષમ છે.
એક્સકૈબિલર એમ્યુનિશનને એમ-777 હોવિત્ઝર તોપ અને ધનુષ તોપથી વિંધી શકાશે. આપને જણાવી દઇએ કે આ ગોળાને અફઘાનિસ્તાનમાં યુદ્ધ સમયે તોપથી વિંધવામાં આવતા ગોળાને નિશાન બનાવવા ખૂબ જ સટિક બનાવવા માટે અમેરિકાએ વિકસિત કર્યા હતા. આપને જણાવી દઇએ કે અમેરિકી સૈનિક છેલ્લાં બે દશકાથી અફઘાનિસ્તાનમાં લડી રહેલ છે.
આ પહેલા હાલમાં જ ભારતીય વાયુસેનાએ ઇઝરાયલથી સ્પાઇસ 2000 અને અન્ય બોમ્બ અને મિસાઇલોને ખરીદવાનો કરાર કરેલ છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં બાલાકોટમાં ઘુસીને કરવામાં આવેલ એર સ્ટ્રાઇકમાં સ્પાઇસ 2000 બોમ્બનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.