જમ્મુ-કશ્મીરના પુલવામા થયેલા હુમલામાં સંડોવાયેલા તમામ આતંકીઓનો ભારતીય સેનાએ ખાત્મો બોલાવ્યો છે. પુલવામા હુમલામાં 40 CRPFના જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી જૈશ એ મહોમ્મદે સ્વીકારી હતી. આ હુમલામાં સામેલ તમામ આતંકીઓને સેનાએ મોતને ઘાટ ઉતાર્યા છે.
જમ્મુ કશ્મીરના પુલવામાના હુમલામાં શહીદ થયેલા જવાનોનો ભારતીય સેનાએ બદલો લીધો છે. પહેલા બાલાકોટ પર એરસ્ટ્રાઈક કરી હતી. બાદમાં સેનાએ જમ્મુ કશ્મીરમાં સર્ચ કરીને હુમલામાં ભૂમિકા ભજવનારા તમામ આતંકીઓનો સફાયો બોલાવ્યો છે. આ વર્ષે સેનાએ જમ્મુમાં કુલ 66 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે. તેમાં 27 જૈશ એ મહોમ્મદના આતંકીઓને ઠાર માર્યા છે.
સેનાના સૂત્રોની મળેલી માહિતી મુજબ પુલવામા હુમલાના માત્ર 45 દિવસમાં જૈશના આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં ભારતીય સેના સફળ રહી છે. આ ઓપરેશન ટેકનિકલ અને ઈન્ટેલિજન્સ પર આધારિત ઓપરેશન કર્યું હતું.
આ ઓપરેશન માટે સેનાએ ઘણો ડેટા એકત્ર કર્યો હતો. જૈશના મેઈન કમાન્ડરને ઠાર માર્યો છે. સેનાના મતે ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે અને અન્ય ચારની ધરપકડ કરવામાં આવી છે. સેનાએ મારેલા આતંકીઓમાં 18 ફેબ્રુઆરીએ કામરાન, 11 માર્ચના રોજ મુદાસિર અહમદ ખાન અને સજ્જાદ બટનો સમાવેશ થાય છે. કામરાન પુલવામાના હુમલાનો કમાન્ડર હતો.