આપણો પાડોશી દેશ પાકિસ્તાન LOC પર હંમેશા અવળચંડાઈ કરતું રહે છે. સામી છાતી લડવાની જેની તાકાત નથી તે પાકિસ્તાન આતંકીઓની ભારતમાં ઘૂષણખોરી કરાવી નિર્દોષોના લોહી વહાવે છે. પરંતુ આ વર્ષે પાકિસ્તાનને આ નાપાક કામ કરવામાં સફળતા મળી નથી.
પાકિસ્તાન દ્વારા થતી અવળચંડાઈને લઈ સેનાનું મોટો નિર્ણય
LOC પર વધુ 3 હજાર જવાનો કરવામાં આવ્યા તૈનાત
પાકિસ્તાનમાંથી થતી ઘૂષણખોરી રોકવા લેવાયો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ગમે તે સમયે આ નફ્ફાટઈ કરી શકે છે. તેના કારણે ભારત સેનાના વધુ 3 હજાર જવાનો બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યા છે.
બોર્ડર પર જવાનોને ખડકી દેવામાં આવ્યા
પાકિસ્તાનની કોઈ પણ કાર્યવાહીનો જવાબ આપવા માટે સેના સતર્ક થઈ ગઈ છે. LACની સાથે ભારતીય સેના LOC પર પણ સતર્ક થઈ ગઈ છે અને તેથી જ વધારે જવાનોને ખડકી દેવામાં આવ્યા છે.
પાકિસ્તાની બટાલિયન
સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં એલઓસી પર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પાકિસ્તાની સૈન્યની કેટલીક વધારાની બટાલિયન હાજર છે, પરંતુ એવું કહી શકાય નહીં કે તેઓ ચીની આર્મીના ટેકાથી ભારત પર દબાણ કરવામાં મદદ કરવા માટે છે. જો પાકિસ્તાનીઓએ આ કરવાનો પ્રયાસ કર્યો તો પણ ભારતીય સૈન્ય આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે.