પાકિસ્તાન વારંવાર સીઝ ફાયર ઉલ્લંઘન કરીને ભારતને પરેશાન કરી રહ્યું છે ત્યારે હવે નિયંત્રણ રેખા પર ગોળા-બારુત મોકલવાના એક પ્રયાસને ભારતે વિફળ બનાવી દીધો છે.
પાકિસ્તાનની વધુ એક ચાલને ભારતે બનાવી નિષ્ફળ
ઉત્તર કાશ્મીરના કેરન સેક્ટરમાંથી જપ્ત કર્યો દારૂગોળો
જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી કરી
નોંધનીય છે કે, ઉત્તર કાશ્મીરના કેરન સેક્ટરમાં સૈન્યના જવાનોએ કિશનગંગા નદીમાંથી હથિયારોની દાણચોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. સેનાએ રાજ્ય પોલીસ દળ સાથે સંયુક્ત ઓપરેશનમાં આ કાર્યવાહી હાથ ધરી હતી.
જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી કરી
સર્વેલન્સ ઇક્વિપમેન્ટની મદદથી, સેનાના જવાનોની ટુકડીએ શુક્રવારે રાત્રે 8.30 કલાકે લાઇન ઓફ કંટ્રોલ પર કિશન ગંગા નદી (કેજીઆર) ના કાંઠે તસ્કરીની યોજનાને શોધી કાઢી હતી. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવ્યું છે.
Troops detected movement on banks of Kishen Ganga River. Immediately, joint operation was launched with J&K Police. 2-3 terrorists were detected trying to transport some items in a tube tied to a rope from far bank of the river. Troops reached and recovered arms: Army Sources https://t.co/5vu2GeRFCUpic.twitter.com/l1YSS78Ecr
રાતના દસ વાગ્યાની આસપાસ, ઓપરેશનમાં જોતરાયેલા જવાનોએ 2-3 આતંકીઓનો પત્તો મેળવ્યો હતો. જે ટ્યૂબમાં કેટલીક વસ્તુઓને લઇ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જે કિશન ગંગા નદીના તટથી દૂર એક દોરડા વડે બાંધવામાં આવી હતી. જવાન તરત જ તે સ્થાન પર પહોંચ્યા અને ત્યાંથી હથિયારોનો ભંડાર મળી આવ્યો હતો. હથિયારમાં એક-47 રાઇફલ, 8- મેગઝીન, 240 એકે રાઇફલ સામેલ છે.
ચિનારના કોર કમાન્ડરનું નિવેદન
શ્રીનગર સ્થિત ચિનારના કોર કમાન્ડર લેન્ફનન્ટ જનરલ બી એસ રાજૂએ કહ્યું કે, પાકિસ્તાનની મનસામાં કોઇ જ ફેરફાર થયો નથી. આ સાથે જ વધુમાં કહ્યું કે, કેરન, તંગધાર, જમ્મુ કાશ્મીર અને પંજાબમાં પણ આ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમનો મુખ્ય ઉદ્દેશ કાશ્મીરના લોકોને આતંકવાદ સાથે જોડીને રાખવાનો છે. પરંતુ અમારો સંકલ્પ હથિયાર આ તરફ લાવવાથી રોકવાનો છે જેથી લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય.