ભારતીય સેનાએ પાકિસ્તાને કબ્જે કરી લીધેલા કાશ્મીર (PoK)માં આવેલા આતંકવાદી લોન્ચપેડ ઉપર પિનપોઇન્ટ સ્ટ્રાઈક કાર્યવહી મુદ્દે ખુલાસો કરીને કહ્યું હતું કે આ અહેવાલ 13 નવેમ્બરનો છે.
નોંધનીય છે કે પાકિસ્તાનની LoC સરહદે થોડા સમયથી મોટા પ્રમાણમાં આર્ટિલરી શેલ ફાયરિંગ અને સિઝ ફાયરનો ભંગ થઇ રહ્યો હતો. આ કારણથી ભારતીય સેનાએ સરહદ ઉપર આતંકીઓના કેમ્પ નષ્ટ કરવાની મોટી કાર્યવહી હાથ ધરી હતી,
PTIના અહેવાલ પ્રમાણે પાકિસ્તાનના શિયાળા પહેલા ભારતમાં આતંકીઓને ઘુસાડવાના નાપાક ઈરાદાઓ સામે ભારતે આ મોટી કાર્યવહી કરી હતી. જો કે આ અહેવાલ 13 નવેમ્બરનો છે અને આ સ્ટ્રાઈક આજે થઇ હોવાના ન્યુઝ વાયરલ થયા હતા. ભારતીય સેનાએ આ મુદ્દે સ્પષ્ટતા કરીને ચર્ચાનું ખંડન કર્યું હતું.