હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે આ પેજ શા માટે બ્લોક કર્યા છે
ચિનાર કોર્પ્સના ફેસબુક પર 24,399 ફોલોઅર્સ છે
43,410 ફોલોઅર્સ ઈન્સટાગ્રામ પર છે
કંપનીએ અધિકારીઓની ફરિયાદનો પણ જવાબ આપ્યો નથી આપ્યો
સેનાનું ચિનાર કોર્પ્સનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બુધવારે એક્ટિવેટ થયું
ભારતીય સેનાનું શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બુધવારે એક્ટિવેટ કરવામાં આવ્યું છે. તે એક અઠવાડિયાથી વધુ સમય માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. સૈન્યના અધિકારીઓએ કહ્યું છે કે કોર્પ્સના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને એક અઠવાડિયા કરતા વધુ સમય પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.અને આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
સેનાના પ્રશ્નોના કોઈ જવાબ ન આપ્યા
એક મીડિયા રિપોર્ટના અનુસાર, ચિનાર કોર્પ્સના સોશિયલ મીડિયા હેન્ડલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યાં હતાં અને ભારતીય સેના દ્વારા મોકલવામાં આવેલા સત્તાવાર પ્રશ્નોનો કોઈ જવાબ મળ્યો ન હતો. લગભગ એક અઠવાડિયા સુધી, ચિનાર કોર્પ્સના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ્સ પર એક સંદેશ દેખાયો હતો. જેમાં લખ્યું હતું કે, તમે ફોલો કરેલી લિંક તૂટી ગઈ હશે અથવા કદાચ પેજ કાઢી નાખવામાં આવ્યું હશે. આ બાબતે ઘણો વાંધો હતો. સોશિયલ મીડિયા કંપનીઓના આવા પગલાની લોકોએ ઘણી ટીકા કરી છે.
શા માટે એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવામાં આવે છે ?
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એક જ કંપની દ્વારા સંચાલિત છે. તેમની રૂલ બુક અનુસાર, તે ફક્ત એવા એકાઉન્ટ્સને રદ્દ અથવા સસ્પેન્ડ કરી શકે છે જે કંપની દ્વારા નિર્ધારિત ધોરણોનું પાલન કરતા નથી. પરંતુ આ કિસ્સામાં, એકાઉન્ટ સસ્પેન્ડ કરવા પાછળ કોઈ કારણ આપવામાં આવ્યું નથી.