પાકિસ્તાની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાએ POKમાં આતંકીઓના કેમ્પ પર મોટી કાર્યવાહી શરૂ કરી છે. ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીમાં આતંકીઓના કેમ્પને ધ્વંસ કરી દેવામાં આવ્યા છે. આ હુમલામાં ભારતીય સેનાએ આર્ટિલરી ગનનો ઉપયોગ કર્યો છે. કાર્યવાહીમાં લોન્ચિંગ પેડ્સની સાથે 4 આતંકી કેમ્પને નુકસાન પહોંચ્યું છે તો 3 કેમ્પ ખતમ થઈ ચૂક્યા છે. મળતી માહિતિ અનુસાર આ 3 કેમ્પ લશ્કર-એ-તૈયબાના હતા. કાર્યવાહીમાં પાકિસ્તાનના 5 સૈનિક પણ ઠાર થયા છે.
પાકિસ્તાની ફાયરિંગનો ભારતીય સેનાએ આપ્યો વળતો જવાબ
ભારતે જડબાતોડ જવાબમાં યૂઝ કરી આર્ટિલરી ગન
હુમલામાં અનેક લોન્ચિંગ પેડ અને કેમ્પને કર્યા ધ્વંસ
ભારતીય સેના દ્વારા PoK પર હુમલાનો મામલો હજુ ચાલી જ રહ્યો છે. ત્યારે રક્ષા મંત્રી રાજનાથસિંહે આર્મી ચીફ સાથે વાત કરીને પરિસ્થતિની માહિતિ મેળવી છે. સમગ્ર મામલે સરકાર નજર રાખી રહી છે. પાકિસ્તાનના આર્મી પ્રવક્તા ગફુરે પુષ્ટિ કરીકે અમારા 2 જવાનના મોત થયા છે. આ સાથે એક નાગરિકનું મોત થયું છે. નિલમ વેલીમાં 4આતંકવાદી કેમ્પનો ખાતમો બોલાવ્યો છે.
Sources: As per reports, 4-5 Pakistan Army soldiers have been killed and several have been injured. Indian Army has launched attacks on terrorist camps situated inside Pakistan occupied Kashmir (PoK) opposite the Tangdhar sector. pic.twitter.com/SFFFjAReHX
Indian army has used artillery guns to target the terrorist camps which have been actively trying to push terrorists into Indian territory. https://t.co/MHfOLqbYUr
આર્ટિલરી ગનથી 13 સેકન્ડમાં ત્રણ વાર ફાયરિંગ થાય છે
ફાયર કર્યા બાદ ગન પોતાની પોઝિશન કરી શકે છે ચેન્જ
આર્ટિલરી ગનનો વજન 13 ટન હોય છે
સેટેલાઇટથી દુશ્મનના અડ્ડાઓની પોઝિશન મેળવી શકાય છે
આર્ટિલરી ગન જાતે જ લોડ થઇ ફાયરિંગ કરવા સક્ષમ
આર્ટિલરી ગન નિશ્ચિત જગ્યા પર જ કરે છે ટાર્ગેટ
2 ભારતીય સૈનિક થયા શહીદ, 1 સામાન્ય નાગરિકનું મોત
જમ્મૂ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધારા સેક્ટરમાં રવિવારે સવારે પાકિસ્તાને ઘૂસણખોરીઓને ભારતીય સીમામાં મોકલવાના પ્રયત્ન દરમિયાન સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાનની ગોળીબારમાં ભારતના બે સૈનિક શહીદ થઇ ગયા જ્યારે એક સામાન્ય નાગરિકનું મોત થઇ ગયું.
પાકિસ્તાને અચાનક શરૂ કર્યું ફાયરિંગ
જમ્મૂ-કાશ્મીરના કુપવાડામાં પાકિસ્તાન તરફથી એક વખત ફરીથી નાપાક હરકતને અંજામ આપવામાં આવ્યો છે. રવિવારે સવારે પાકિસ્તાની સેનાએ કોઇ પણ ઉશ્કેરણી વગર ગોળીબાર શરૂ કરી. સીઝફાયર ઉલ્લંઘનની આ ઘટનામાં ભારતીય સુરક્ષાબળોના બે જવાન શહીદ થઇ ગયા. સાથે જ એક સામાન્ય નાગરિકનું મોત થયું હોવાની જાણકારી મળી છે. હાલ ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે.