ભારતીય સુરક્ષા દળ હવે ભીષણ જંગ માટે 15 દિવસના શસ્ત્રો અને દારૂ-ગોળા રાખી શકશે. ચીન અને પાકિસ્તાનની સાથે બન્ને મોર્ચે ઘર્ષણના માહોલ વચ્ચે ભારત તરફથી સૈન્ય તૈયારી સંબંધી આ પગલું ભરવામાં આવ્યું છે.
સેના 15 દિવસના શસ્ત્રો અને દારૂ-ગોળા રાખી શકશે
ચીન અને પાકિસ્તાનની સાથે બન્ને મોર્ચે ઘર્ષણના માહોલ સેનાની તૈયારી
સેના માટે અંદાજિત 50 હજાર કરોડ રૂપિયાના હથિયાર ખરીદાશે
સૂત્રોના હવાલેથી કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે સેના આ બન્ને ફ્રંટ્સ લડાઈને ધ્યાને રાખી છેલ્લા કેટલાક સમયથી તૈયારી કરી રહી હતી. પરંતુ હવે આના પર ઉચ્ચ રીતે તૈયારીઓ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, આ પહેલા ઘનઘોર યુદ્ધ માટે સેનાને 10 દિવસના શસ્ત્રો અને દારૂ-ગોળા રાખવાની મંજૂરી હતી.
સૂત્રોના રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સેના માટે અંદાજિત 50 હજાર કરોડ રૂપિયાના હથિયાર અને શસ્ત્ર-સરંજામ ભારત અને વિદેશથી ખરીદવામાં આવી શકે છે. સમાચાર એજન્સી ANIના સરકારી સૂત્રોએ જણાવ્યું કે, દુશ્મનોની સાથે 15 દિવસ ઘનઘોર જંગ લડવા માટે ભંડાર રાખવાના ઓથોરાઇઝેશન હેઠળ હવે કેટલીક હથિયાર પ્રણાલી અને દારૂ-ગોળાનું સંપાદન કરવામાં આવી રહ્યું છે. સ્ટૉક હવે 10 Iના સ્તરના બદલે 15 I સ્તર પર થશે.
ત્યારે, કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે સોમવારે સશસ્ત્ર સેનાની સરાહના કરી. કહ્યું કે, જ્યારે દુનિયા કોરોનાથી લડી રહી હતી, ત્યારે ભારતીય સશસ્ત્ર સેનાઓની બહાદુરીથી રક્ષા કરી રહ્યા હતા. તેમણે દાવો કર્યો કે, કોઇ વાયરસ આપણા સશસ્ત્ર દળોની તેમની ડ્યૂટી કરવાથી નહીં રોકી શકાય.
હિમાલયની બોર્ડર પર આક્રામકતાની સ્થિતિ પર તેઓએ કહ્યું કે, હિમાલયની આપણી બોર્ડર પર વગર કોઇ ઉકસાવે આક્રામકતા બતાવે છે કે દુનિયા કેવી રીતે બદલી રહી છે, હાલની સમજૂતીઓને કેવી પડકારવામાં આવી રહી છે. રાજનાથસિંહે કહ્યું કે, આપણા જવાનોએ તેમના(ચીની સેના) ખુબ જ બહાદુરીથી સામનો કર્યો અને તેમને પાછા જવા માટે મજબૂર કર્યા.