ભારતીય સેનાએ હલકી ગુણવત્તાના દારૂગોળા અને યુદ્ધ સામગ્રીથી વધતી દુર્ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ દારૂગોળો ઓર્ડનેંસ ફેક્ટરી બોર્ડ દ્વારા ટેન્ક, તોપ, એર ડિફેંસ ગન અને અન્ય યુદ્ધ ઉપકરણો માટે સપ્લાય કરવામાં આવે છે.
આ મામલે સેનાએ રક્ષા મંત્રાલયને વાત કરી છે. સેનાએ કહ્યું કે હલકી ગુણવત્તાના દારૂગોળાના કારણે થતી દુર્ઘટનામાં સૈનિકોના જીવ જઈ રહ્યા છે અને ઘાયલ પણ થઈ રહ્યા છે. આ સાથે જ રક્ષા સાધન સામગ્રીને પણ તેનાથી નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો કર્યો છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઓર્ડનેંસ ફેક્ટરી બોર્ડ દ્વારા સપ્લાઈ કરવા માટે દારૂગોળાના કારણે વધતી દુર્ઘટનાના કારણે સેનાનો વિશ્વાસ રક્ષા સાધન સામગ્રી પર ઓછો થઈ રહ્યો છે. સેનાએ ઓર્ડનેંસ ફેક્ટરી દ્વારા દારૂગોળાની ક્વોલિટી મામલે ધ્યાન ન આપવા અંગે રક્ષા ઉત્પાદન સચિવ અજય કુમાર સમક્ષ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
મહત્વનું છે કે 19 હજાર કરોડ રૂપિયાના વાર્ષિક ટર્નઓવર વાળા આર્ડનેંસ ફેક્ટરી બોર્ડની પાસે દારૂગોળો બનાવવાની 41 ફેક્ટરી છે..જે 12 લાખ સૈનિકો વાળી ભારતીય સેનાને દારૂગોળો સપ્લાય કરે છે.
15 પેજના પોતાના પેપરમાં સેનાએ ગંભીર સમસ્યા સામે રાખી છે. જેમાં અનેક હથિયારના દારૂગોળાની હલકી ગુણવત્તાનો ઉલ્લેખ કર્યો છે. આ કારણોસર સેનાએ અનેક લોન્ગ રેન્જના દારૂગોળાનું ફાયરિંગ હાલ પુરતી અટકાવી દીધી છે.