લદાખમાં લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે આજે ભારત અને ચીન વચ્ચે ફરીવાર બેઠક થશે જેમાં વિદેશ મંત્રાલયના પ્રતિનિધિ પણ સામેલ થવાના છે.
ભારત-ચીન સીમા વિવાદ
ભારત-ચીન સૈન્ય વાર્તા
9માં તબક્કાની થશે વાતચીત
ભારત-ચીન વચ્ચે કોર કમાન્ડરની થશે 9માં તબક્કાની વાતચીત
આશરે અઢી મહિના આબાદ આજે ફરીથી ભારત અને ચીન વચ્ચે સેનાના અધિકારીઑ દ્વારા વાતચીત કરવામાં આવશે. લદાખમાં ચાલી રહેલા તણાવની વચ્ચે ગત વર્ષે મે મહિનાથી જ હજારોની સંખ્યામાં સૈનિકો સામ સામે આવ્યા છે. ભારતના XIV કોર્પ્સ કમાન્ડર જનરલ પીજીકે મેનન અને સાઉથ શીનજીયાંગ મિલીટરી ક્ષેત્રના કમાન્ડર મેજર લિયુ લીન વચ્ચે આ બેઠક થવાની છે અને આ બેઠક ચૂશૂલમાં કરવામાં આવશે.
LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડવા પર વાતચીત થશે
મીડિયા અહેવાલ અનુસાર ભારત અને ચીન વચ્ચે બંને તરફથી 50 હજાર સૈનિકો સરહદની સુરક્ષામાં તૈનાત છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ભારતે હાલમાં જ બે ચીની નાગરિકોને તેમના દેશ પાછા આપ્યા હતા જે રસ્તો ભૂલી ગયા હતા.
આજે શરૂ થનારી વાર્તામાં વિદેશ મંત્રાલયના અધિકારી પણ હશે
નોંધનીય છે કે બેઠકમાં વિદેશ મંત્રાલયનો પણ એક પ્રતિનિધિ સામેલ થશે સાથે સાથે વિદેશ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી નવીન શ્રીવાસ્તવ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ પહેલા નવેમ્બર મહિનામાં બેઠક કરવામાં આવી હતી.
અગાઉ નવેમ્બરમાં સૈન્ય સ્તરની વાતચીત થઇ હતી
નોંધનીય છે કે મે મહિનામાં ચીની સેના અવળચંડાઇ શરૂ કરી દીધી હતી અને બંને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું જે બાદ ભારતીય સેના દ્વારા ભારે સંખ્યામાં સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. સાથે સાથે ટેન્ક, આર્ટિલરી અને હવાઈ હુમલાની પણ પૂરી તૈયારી કરવામાં આવી છે.