ભારતીય-અમેરિકી સાંસદ રો ખન્નાએ કહ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભડકાઉ નિવેદનો કરવાના બદલે થોડો સમય શાંત રહેવું જોઈએ. ઈમરાન ખાનની ભારત સાથે યુદ્ધનું નિવેદન સંપૂર્ણ પણે હાસ્યાસ્પદ છે.
હાલમાં અમેરિકાના કોંગ્રેસના પાકિસ્તાની કૉક્સમાં સામેલ થયેલા ભારતીય- અમેરિકી સાંસદ રો ખન્નાએ કાશ્મીરને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો છે. રો ખન્નાએ કહ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભડકાઉ નિવેદનો ન આપીને શાંત રહેવું જોઈએ. તેમાં પણ ઈમરાન ખાનની ભારત સાથેના યુદ્ધની વાત તો સદંતર હાસ્યાસ્પદ છે.
કૈલિફોર્નિયામાં આયોજિત એક કાર્યક્રમમાં રો ખન્નાએ કહ્યું કે ભારતીય લોકતંત્રને માટે કાશ્મીર તેમનો આંતરિક મુદ્દો છે. પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભડકાઉ નિવેદનો આપવાનું ટાળવું જોઈએ. યુદ્ધ અને તણાવની સ્થિતિ ન ફેલાય તેનું ધ્યાન ઈમરાન ખાને રાખવું જોઈએ. તેમાં પણ ભારત સાથે યુદ્ધની વાત તેઓ કરતાં હોય તો તેઓએ ખરેખર આ વિશે વિચારવાની જરૂર છે.
રો ખન્ના ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ છે. જે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં સિલિકોન વેલીનું પ્રતિનિધિત્વ કરે છે. આ કાર્યક્રમ સમયે કાશ્મીરી અમેરિકી સમુદાયે કાશ્મીર મુદ્દે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. કાશ્મીરને ગરીબી અને આતંકવાદથી છૂટકારો અપાવવાની અપીલ પણ કરી. ઉલ્લેખનીય છે કે રો ખન્ના પહેલાં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પણ પીએમ મોદી સાથેની એક બેઠકમાં નિવેદન આપ્યું છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થતા થાય તેવું તેઓ ઈચ્છતા નથી. અમેરિકાની જેમ અન્ય અનેક દેશોએ ભારત-પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થતાની વાતને નકારી કાઢી છે. આ દેશોમાં રૂસ પણ સામેલ છે.